ભરૂચ : સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ નર્મદા મૈયા ઘાટ પર સફાઈ અભિયાન હાથ ધરાયુ

 ભરૂચના નર્મદા મૈયા ઘાટ પર સંત નિરંકારી ફાઉન્ડેશન દિલ્હી દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
  • સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન

  • પ્રોજેક્ટ અમૃત હેઠળ નર્મદા ઘાટ પર હાથ ધરાયુ સફાઈ અભિયાન

  • જિલ્લાના 150થી વધુ અનુયાયીઓએ લીધો ભાગ 

  • ભારત વર્ષમાં એક સાથે 1600થી વધુ જળાશયોની કરાઈ સફાઈ

  • સ્વચ્છ જળ સ્વચ્છ મનનાં સ્લોગનને સાર્થક બનાવવાનો પ્રયાસ

 ભરૂચના નર્મદા મૈયા ઘાટ પર સંત નિરંકારી ફાઉન્ડેશન દિલ્હી દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ સંત નિરંકારી મિશન સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી,ભરૂચ બ્રાન્ચ દ્વારા "પ્રોજેક્ટ અમૃત" હેઠળ નર્મદા મૈયા ઘાટ પર નિલકંઠેશ્વર મંદિર પાસે  સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.સંત નિરંકારી મિશનના વડા સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્ય આશીર્વાદ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારત વર્ષમાં 1600થી વધુ જળાશયો એક સાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે સંત નિરંકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નિલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી ઘાટ સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

આ  કાર્યમાં ભરૂચએકસાલ,ત્રાલસાદહેજપખાજણ તથા આસપાસના ગામોના 150થી પણ વધારે  સંત નિરંકારી મિશનના અનુયાયીઓએ ભાગ લીધો હતો.નિરંકારી બાબા હરદેવજી મહારાજની શિક્ષા પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે અને સ્વચ્છ જળ સ્વચ્છ મન આ સ્લોગનને સાર્થક બનાવવા માટે સંત નિરંકારી મિશનના અનુયાયીઓ અથાગ પ્રયાસો કરી રહ્યા છે.

 

Read the Next Article

ભરૂચ-અંકલેશ્વરમાં વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી, સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્યની કરી કામના

વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

New Update
  • આજે વટ સાવિત્રીના વ્રતની ઉજવણી

  • ભરૂચ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાય

  • સૌભાગ્યવતી સ્ત્રીઓએ વ્રત રાખ્યુ

  • વટ દેવતાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરી પૂજા

  • પતિના લાંબા આયુષ્યની કરી કામના

ભરૂચ શહેર અને જિલ્લામાં વટ સાવિત્રીના વ્રતની અત્યંત ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી
ભરૂચના વિવિધ મંદિરો,વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી  શાસ્ત્રો મુજબ, વટના વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.
આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વટના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે આથી અત્યંત ભક્તિ ભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે
આ તરફ અંકલેશ્વરમાં પણ વટસાવિત્રીના વ્રતની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના વિવિધ મંદિરો અને ગામોમાં  સૌભાગ્યવતી  મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી અને   પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.અંકલેશ્વરમાં રત્નેશ્વર ,અંતરનાથ ,માંડવેશ્વર મહાદેવ મંદિર અને સુરવાડી ખોડીયાર માતાજીના મંદિર સહિતના  સ્થળોએ વટસાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.