ભરૂચ : સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ નર્મદા મૈયા ઘાટ પર સફાઈ અભિયાન હાથ ધરાયુ

 ભરૂચના નર્મદા મૈયા ઘાટ પર સંત નિરંકારી ફાઉન્ડેશન દિલ્હી દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
  • સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન

  • પ્રોજેક્ટ અમૃત હેઠળ નર્મદા ઘાટ પર હાથ ધરાયુ સફાઈ અભિયાન

  • જિલ્લાના 150થી વધુ અનુયાયીઓએ લીધો ભાગ 

  • ભારત વર્ષમાં એક સાથે 1600થી વધુ જળાશયોની કરાઈ સફાઈ

  • સ્વચ્છ જળ સ્વચ્છ મનનાં સ્લોગનને સાર્થક બનાવવાનો પ્રયાસ

ભરૂચના નર્મદા મૈયા ઘાટ પર સંત નિરંકારી ફાઉન્ડેશન દિલ્હી દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ સંત નિરંકારી મિશન સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી,ભરૂચ બ્રાન્ચ દ્વારા "પ્રોજેક્ટ અમૃત" હેઠળ નર્મદા મૈયા ઘાટ પર નિલકંઠેશ્વર મંદિર પાસે  સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.સંત નિરંકારી મિશનના વડા સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્ય આશીર્વાદ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારત વર્ષમાં 1600થી વધુ જળાશયો એક સાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે સંત નિરંકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નિલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી ઘાટ સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

આ  કાર્યમાં ભરૂચએકસાલ,ત્રાલસાદહેજપખાજણ તથા આસપાસના ગામોના 150થી પણ વધારે  સંત નિરંકારી મિશનના અનુયાયીઓએ ભાગ લીધો હતો.નિરંકારી બાબા હરદેવજી મહારાજની શિક્ષા પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે અને સ્વચ્છ જળ સ્વચ્છ મન આ સ્લોગનને સાર્થક બનાવવા માટે સંત નિરંકારી મિશનના અનુયાયીઓ અથાગ પ્રયાસો કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: દાંડિયા બજારમાં યુવાને મિલકતના ઝઘડામાં ગળુ કાપી આપઘાતનો કર્યો પ્રયાસ, ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસરડાયો

ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.

New Update
  • ભરૂચના દાંડિયા બજારનો બનાવ

  • યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ

  • ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો

  • મિલકતના ઝઘડામાં જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં મિલ્કતના ઝઘડામાં યુવાને પોતાનું ગળું કાપી નાખતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર માટે સુરત ખસેડાયો છે.
ભરૂચના દાંડિયાબજારમાં મિલ્કતના ઝઘડા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. 10 વર્ષથી ચાલતી કાયદાકીય લડત બાદ કંટાળેલા સ્થાનિક યુવાન ચેતન પટેલે ગતરોજ બપોરે ઘરમાં એકલો હોવા દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચેતન પટેલે પોતાના ગળે ચપ્પુનો ઘા માર્યો અને તે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડવામાં આવ્યો છે.
હાલ ચેતનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે એ ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્તના પરિવારજનોની જાણવા જોગ ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ચેતન સભાન અવસ્થામાં આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.