ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન દ્વારા પશુઓને ગળામાં બાંધવા 300 રેડિયમ બેલ્ટનું વિતરણ કરાયુ

ભરૂચમાં રસ્તે રખડતા પશુઓના કારણે થતા અકસ્માતો રોકવા સાર્થક ફાઉન્ડેશન દ્વારા પશુઓને ગળામાં બાંધવાના રેડિયમ બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં રસ્તે રખડતા પશુઓના કારણે થતા અકસ્માતો રોકવા સાર્થક ફાઉન્ડેશન દ્વારા પશુઓને ગળામાં બાંધવાના રેડિયમ બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું

Advertisment

ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ માર્ગો પર  પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારામાં નજરે ના પડતા ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે ત્યારે ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા બી.જી.પી.હેલ્થ કેરના સંયુક્ત પ્રયાસ થકી ગૌવંશ તથા અન્ય અબોલ જીવોને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવા માટે 300 જેટલા બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેને લોકો બિરદાવી રહ્યા છે

Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment