ભરૂચ : સ્કૂલ જતો વિદ્યાર્થી રસ્તો ભૂલી જતા એબીસી ચોકડી પહોંચ્યો,પોલીસની સતર્કતાથી પિતા સાથે બાળકનું થયું મિલન

વિદ્યાર્થી ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયો હતો,અને એબીસી ચોકડી પર પહોંચી જતા પોલીસની સતર્કતાથી બાળકનું પિતા સાથે મિલન થતા ભાવુકતા ભર્યા દ્રશ્યો સર્જાયા

New Update
  • સ્કૂલ જવા નીકળેલો વિદ્યાર્થી રસ્તો ભટકી ગયો

  • રસ્તો ભૂલો પડતા બાળક એબીસી ચોકડી પહોંચ્યો                   

  • પોલીસની સતર્કતાથી બાળકનું હેમખેમ પિતા સાથે થયું મિલન

  • ખોવાયેલ પુત્ર મળતા પિતા થયા ભાવુક 

  • પિતાએ પોલીસનો માન્યો આભાર

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયો હતો,અને એબીસી ચોકડી પર પહોંચી જતા પોલીસની સતર્કતાથી બાળકનું પિતા સાથે મિલન થતા ભાવુકતા ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્ક નૂર સોસાયટીમાં રહેતા નિસાર અહેમદ મિસ્ત્રીનો નાનો પુત્ર મોહમ્મદ રેહાન સવારે સ્કૂલ જવા નીકળ્યો હતો.જે ભૂલો પડી જતા એબીસી ચોકડી પાસે પહોંચી ગયો હતો.તે દરમિયાન ટ્રાફિક બ્રિગેડના જવાનની નજર તેના પર પડી જતા પૂછપરછ કરી તેને પાંચ બત્તી પોલીસ ચોકીમાં લઈ આવ્યો હતો.

જ્યાં PSI પાઠકે આ બાળકને બેસાડી તેની પૂછપરછ કરી મોબાઈલ નંબર અને એડ્રેસ પૂછતા તેને એનું એડ્રેસ જણાવ્યું હતું.ત્યાર બાદ તેના પિતાનો સંપર્ક કરી તેઓને પોલીસ ચોકી પર બોલાવી તેના પિતાને હેમખેમ પરત કર્યો હતો.ખોવાયેલ પુત્રનું મિલન થતા નિસાર એહમદે ભાવુક થઈ ગયા હતા અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થના પટાંગણમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરાય...

અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

New Update
Ankleshwa Ramkund

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રામકુંડ તીર્થના પટાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છેત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ ઠેર ઠેર ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતીત્યારે અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમા નિમિત્તે રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષોનું જતન કરી પર્યાવરણની રક્ષા કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતપાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.