ભરૂચ : સ્કૂલ જતો વિદ્યાર્થી રસ્તો ભૂલી જતા એબીસી ચોકડી પહોંચ્યો,પોલીસની સતર્કતાથી પિતા સાથે બાળકનું થયું મિલન

વિદ્યાર્થી ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયો હતો,અને એબીસી ચોકડી પર પહોંચી જતા પોલીસની સતર્કતાથી બાળકનું પિતા સાથે મિલન થતા ભાવુકતા ભર્યા દ્રશ્યો સર્જાયા

New Update
  • સ્કૂલ જવા નીકળેલો વિદ્યાર્થી રસ્તો ભટકી ગયો

  • રસ્તો ભૂલો પડતા બાળક એબીસી ચોકડી પહોંચ્યો                   

  • પોલીસની સતર્કતાથી બાળકનું હેમખેમ પિતા સાથે થયું મિલન

  • ખોવાયેલ પુત્ર મળતા પિતા થયા ભાવુક 

  • પિતાએ પોલીસનો માન્યો આભાર

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયો હતો,અને એબીસી ચોકડી પર પહોંચી જતા પોલીસની સતર્કતાથી બાળકનું પિતા સાથે મિલન થતા ભાવુકતા ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્ક નૂર સોસાયટીમાં રહેતા નિસાર અહેમદ મિસ્ત્રીનો નાનો પુત્ર મોહમ્મદ રેહાન સવારે સ્કૂલ જવા નીકળ્યો હતો.જે ભૂલો પડી જતા એબીસી ચોકડી પાસે પહોંચી ગયો હતો.તે દરમિયાન ટ્રાફિક બ્રિગેડના જવાનની નજર તેના પર પડી જતા પૂછપરછ કરી તેને પાંચ બત્તી પોલીસ ચોકીમાં લઈ આવ્યો હતો.

જ્યાં  PSI પાઠકે આ બાળકને બેસાડી તેની પૂછપરછ કરી મોબાઈલ નંબર અને એડ્રેસ પૂછતા તેને એનું એડ્રેસ જણાવ્યું હતું.ત્યાર બાદ તેના પિતાનો સંપર્ક કરી તેઓને પોલીસ ચોકી પર બોલાવી તેના પિતાને હેમખેમ પરત કર્યો હતો.ખોવાયેલ પુત્રનું મિલન થતા નિસાર એહમદે ભાવુક થઈ ગયા હતા અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.