ભરૂચ: આજે પણ એલર્ટના પગલે શાળા કોલેજ બંધ, ભરૂચમાં સૌથી વધુ 7.44 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વરસાદની શક્યતાના પગલે કલેકટર દ્વારા શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વરસાદની શક્યતાના પગલે કલેકટર દ્વારા શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અત્ર તત્ર સર્વત્ર પાણી-પાણી નજરે પડ્યું હતું. ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી હતી. જો કે છેલ્લા ૧૦ થી ૧૨ કલાકથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે પૂરના પાણી ઓસરી રહ્યા છે. જોકે આજે પણ વરસાદની શક્યતાના પગલે ભરૂચ કલેકટર તુષાર સુમેરા દ્વારા શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ભરૂચ શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં વરસેલા વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 3.6 ઇંચ,આમોદ  2.68 ઇંચ,વાગરા 4.52 ઇંચ,ભરૂચ  7.44ઇંચ,ઝઘડિયા 5.4 ઇંચ,અંકલેશ્વર  5.2 ઇંચ,હાંસોટ 5.2 ઇંચ,વાલિયા 4 ઇંચ અને નેત્રંગમા  3.28 ઇંચ વરસાદ ખાબક્યો હતો

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો, સંતો, મહંતો, મહાનુભવો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલનો પ્રારંભ

  • સંતો મહંતોની હાજરીમાં પ્રારંભ કરાયો

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • રાહત દરે સારવાર મળી રહેશે

અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો  શુભારંભ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે.ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઈફ લાઈન હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેતધામના ગિરીશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો, મહંતો, મહાનુભવો સહિતની વિશાળ ઉપસ્થિતિમાં કરાયું.
સાથે જ RSS ના હરીશભાઈ રાવલના 82 માં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિભાગના સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત મહાનુભવો, સંતો, મહંતોએ ઉપસ્થિત રહી જયમીન પટેલ અને નર્મદા હોસ્પિટલ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.