ભરૂચ : APMC નજીક દુકાન ભડકે બળતા લોકોમાં અફરાતફરી, ફાયર ફાઇટરોએ મેળવ્યો આગ ઉપર કાબૂ

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ APMC માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી

New Update
  • APMC માર્કેટ બહાર આવેલા શોપિંગ સેન્ટરની ઘટના

  • એક દુકાનમાં અચાનક આગ લાગતા મચી નાસભાગ

  • બનાવના પગલે પાલિકાના ફાયર ફાઇટરો દોડી આવ્યા

  • 2 વોટર બાઉઝરની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો

  • સદસનીબે જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી

ભરૂચના એપીએમસી માર્કેટ બહાર આવેલા શોપિંગમાં એક દુકાનમાં આગ લાગતા મચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસારભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલAPMC માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. દુકાનમાં એકાએક આગ લાગતા જ દુકાનદારો સહિત આસપાસના લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

જ્યાં 2 જેટલા વોટર બાઉઝરની મદદથી પાણીનો મારો ચલાવી ફાયર ફાઇટરોએ સમગ્ર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફદુકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થાની 21મી શાખાનો પ્રારંભ, વીર સાવરકરના વિચારોને લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય

મહારાષ્ટ્રમાં સ્વાતંત્રસેનાની વીર સાવરકરના વિચારોને ફેલાવતી સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થાની અંકલેશ્વર શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • માનવ મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન

  • સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થાની શાખાનો પ્રારંભ

  • સંસ્થાના સ્થાપક સભ્યો રહ્યા ઉપસ્થિત

  • આવનારા સમયમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થાની અંકલેશ્વર શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે આમંત્રિતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
મહારાષ્ટ્રમાં સ્વાતંત્રસેનાની વીર સાવરકરના વિચારોને ફેલાવતી સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થાની અંકલેશ્વર શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગેનો કાર્યક્રમ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ માનવ મંદિર સત્સંગ ભવન ખાતે યોજાયો હતો જેમાં લેખક અક્ષય જોગ, યુપીએલ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રીકાંત વાઘ, સંસ્થાના સ્થાપક અધ્યક્ષ શ્રીનિવાસ વિજય કુલકર્ણી, આગેવાન શ્રીકાંત સાંભરે અને મનોજ ભાગવત તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ સંસ્થાની મહારાષ્ટ્રમાં 20 શાખા છે જ્યારે મહારાષ્ટ્ર બાદ પ્રથમ 21મી શાખાનો અંકલેશ્વરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સંસ્થા સ્વાતંત્ર્યસેનાની વીર સાવરકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા કાર્યો કરે છે જે અંતર્ગત અંકલેશ્વરમાં પણ આવનારા સમયમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.