ભરૂચ : APMC નજીક દુકાન ભડકે બળતા લોકોમાં અફરાતફરી, ફાયર ફાઇટરોએ મેળવ્યો આગ ઉપર કાબૂ

ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ APMC માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી

New Update
  • APMC માર્કેટ બહાર આવેલા શોપિંગ સેન્ટરની ઘટના

  • એક દુકાનમાં અચાનક આગ લાગતા મચી નાસભાગ

  • બનાવના પગલે પાલિકાના ફાયર ફાઇટરો દોડી આવ્યા

  • 2 વોટર બાઉઝરની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો

  • સદસનીબે જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી

ભરૂચના એપીએમસી માર્કેટ બહાર આવેલા શોપિંગમાં એક દુકાનમાં આગ લાગતા મચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસારભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ APMC માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. દુકાનમાં એકાએક આગ લાગતા જ દુકાનદારો સહિત આસપાસના લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

જ્યાં 2 જેટલા વોટર બાઉઝરની મદદથી પાણીનો મારો ચલાવી ફાયર ફાઇટરોએ સમગ્ર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફદુકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.