ભરૂચ: હાંસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાશે !

ભરૂચના હાંસોટ તાલુકાના શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે  આગામી તા.23 નવેમ્બર થી તા.29મી સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • હાંસોટના વમલેશ્વર સ્થિત રેવા સંગમ તીર્થધામમાં આયોજન

  • શ્રી મદ ભાગવત સપ્તાહનું આયોજન

  • તા.23થી 29 નવેમ્બર સુધી આયોજન કરાયું

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

  • રાત્રી દરમ્યાન ભજન-સત્સંગના કાર્યક્રમો યોજાશે

ભરૂચના હાંસોટ તાલુકાના શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે  આગામી તા.23 નવેમ્બર થી તા.29મી સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લાના લખમશી સોની શાંતાબેન.સોની અને રિગ્નેશ સોની તેમજ જીગ્નેશ સોની પરિવાર દ્વારા ભરૂચના હાંસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમળનાથ મહાદેવ મંદિરના સહયોગથી આગામી તા 23 નવેમ્બરથી તા 29મી સુધીભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વમલેશ્વર ગામ ખાતે કથાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.આ કથામાં કચ્છ ના કચ્છ લલિયાણાના કથાકાર અજયપ્રસાદ રાજગોર રસપાન કરાવશે.આ સપ્તાહ દરમિયાન રોજ રાત્રીના અરસામાં ડાયરો કવિ સંમેલન સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.