ભરૂચ: જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો હાથમાં પ્લે કાર્ડ સાથે પર્યાવરણના જતનનો આપ્યો સંદેશ

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંસ્થાની બહેનોએ હાથમાં વિવિધ સર્કલ ઉપર ઉભા રહી પર્યાવરણના જતનનો  સંદેશ આપ્યો હતો

New Update
  • ભરૂચમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • ટ્રસ્ટની બહેનોએ જન જાગૃતિનો કર્યો પ્રયાસ

  • હાથમાં પ્લે કાર્ડ સાથે જનજાગૃતિનો પ્રયાસ કર્યો

  • વાહનો પર ડુનોટ યુઝ હોર્નના સ્ટીકર લગાવ્યા

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંસ્થાની બહેનોએ હાથમાં વિવિધ સર્કલ ઉપર ઉભા રહી પર્યાવરણના જતનનો  સંદેશ આપ્યો હતો

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે દુનિયામાં વધતા ગ્લોબલ વોર્મનીગને લઈ ભરૂચમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચની બેહનોએ હાથોમાં પર્યાવરણને અનુલક્ષી વિવિધ પ્લે કાર્ડ લઈ ભરૂચના પાંચબત્તી સર્કલ, શક્તિનાથ સર્કલ, સ્ટેશન રોડ તથા મામલદાર બ્રીજ ખાતે ઉભા રહી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.સાથે સાથે ટુ વ્હીલર, ઑટો રિક્ષા અને  કાર પર  do not use Horn-કૃપા કરીને હોર્ન ના વગાડોના સ્ટીકર લગાવી બિન જરૂરી હોર્ન ન વગાડવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ જીજ્ઞાશાબેન ગોસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન શેફાલીબેન પંચાલ અને કમિટી કોઓર્ડિનેટર નયનાબેન પટેલ તથા સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.