ભરૂચ: સ્ટેશન રોડ પર આવેલ મોબાઈલ શોપ અને બેકરીમાં તસ્કરો ત્રાટકયા, એક્સેસરીઝ અને રોકડ રકમની ચોરી !

ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે સ્ટેશન રોડ પર આવેલ બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update

ભરૂચમાં દિવાળી સમયે તસ્કરોનો તરખાટ

Advertisment

સ્ટેશન રોડ પર ચોરીનો બનાવ

સીટી સેન્ટર સામે આવેલ 2 દુકાનમાં ચોરી

હજારોના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે સ્ટેશન રોડ પર આવેલ બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ભરૂચ શહેરમાં દિવાળીના તહેવારો સમયે તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ભરૂચના સ્ટેશન રોડ પર સિટી સેન્ટરની સામે આવેલ બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એસ.કે  મોબાઇલ અને ઇનતેજાર બેકરી નામની બે દુકાનોને નિશાન બનાવી હતી. બન્ને દુકાનોમાંથી તસ્કરો રૂપિયા 75 હજારથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. દુકાનના ઉપરના ભાગે રહેલ પતરું તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને મોબાઈલ શોપમાંથી એસેસરીઝ તેમજ મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.તો બેકરીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી.આ અંગેની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment
Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment