ભરૂચ: સ્ટેશન રોડ પર આવેલ મોબાઈલ શોપ અને બેકરીમાં તસ્કરો ત્રાટકયા, એક્સેસરીઝ અને રોકડ રકમની ચોરી !

ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે સ્ટેશન રોડ પર આવેલ બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update

ભરૂચમાં દિવાળી સમયે તસ્કરોનો તરખાટ

સ્ટેશન રોડ પર ચોરીનો બનાવ

સીટી સેન્ટર સામે આવેલ 2 દુકાનમાં ચોરી

હજારોના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે સ્ટેશન રોડ પર આવેલ બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ભરૂચ શહેરમાં દિવાળીના તહેવારો સમયે તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ભરૂચના સ્ટેશન રોડ પર સિટી સેન્ટરની સામે આવેલ બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એસ.કે  મોબાઇલ અને ઇનતેજાર બેકરી નામની બે દુકાનોને નિશાન બનાવી હતી. બન્ને દુકાનોમાંથી તસ્કરો રૂપિયા 75 હજારથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. દુકાનના ઉપરના ભાગે રહેલ પતરું તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને મોબાઈલ શોપમાંથી એસેસરીઝ તેમજ મોબાઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.તો બેકરીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી.આ અંગેની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.