ભરૂચ:J.B.મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળને 10 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ગૌ પૂજન કરાયુ

ભરૂચના જેબી મોદી પાર્ક નજીક કાર્યરત નવા પાંજરાપોળના 10 વર્ષ પૂર્ણ થતા વિશેષ ગૌ પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી

New Update
  • ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલું છે પાંજરાપોળ

  • પાંજરાપોળની સ્થાપનાને 10 વર્ષ થયાં પૂર્ણ

  • વિશેષ ગૌ પૂજનનું કરાયુ આયોજન

  • પહેલા આલી વિસ્તારમાં કાર્યરત હતું પાંજરાપોળ

  • ટ્રસ્ટીઓ અને ગૌપ્રેમીઓ રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચના જેબી મોદી પાર્ક નજીક કાર્યરત નવા પાંજરાપોળના 10 વર્ષ પૂર્ણ થતા વિશેષ ગૌ પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચમાં અબોલ ગાયોની સેવા માટે જુના ભરૂચના આલી વિસ્તારમાં જૂનુ પાંજરાપોળ કાર્યરત હતું પરંતુ તે જર્જરીત  થઈ જતા વર્ષ 2015માં શહેરના જેબી મોદી પાર્ક નજીક નવા પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ પાંજરાપોળને 10 વર્ષ પૂર્ણ થતા આજરોજ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ગૌ માતાનું વિશેષ પૂજન અર્ચન કરાયું હતું.
આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીઓ બીપીન ભટ્ટ,મહેન્દ્ર કંસારા, અનિલ રાણા સહિતના આગેવાનો તેમજ ગૌ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાંજરાપોળમાં 600થી વધુ ગાયોને રાખવામાં આવે છે અને તેની સેવા કરવામાં આવે છે. શહેરના આગેવાનોના જન્મદિવસ. સહિતના  પ્રસંગોએ ગૌ પૂજન સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.સાથે જ ગાયની સારવાર માટે વેટરનીટી તબીબોની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે ત્યારે પાંજરાપોળ દ્વારા સાચા અર્થમાં ગૌ સેવા દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં આપઘાત કરવા પહોંચેલ કિશોરીનો સી ડિવિઝન પોલીસે જીવ બચાવ્યો !

ગતરોજ સવારના સાડા ચારેક વાગ્યાના અરસામાં એક કિશોરી એક ચિઠ્ઠીમાં “હું આત્મહત્યા કરવા નર્મદા મૈયા બ્રિજ પર જાવ છું” તેમ લખી પોતાના ઘરેથી નીકળી ગઈ હતી.

New Update
images C divi

ગતરોજ સવારના સાડા ચારેક વાગ્યાના અરસામાં એક કિશોરી એક ચિઠ્ઠીમાં “હું આત્મહત્યા કરવા નર્મદા મૈયા બ્રિજ પર જાવ છું” તેમ લખી પોતાના ઘરેથી નીકળી ગઈ હતી.

જે બાબતે તેના પરીવારના સભ્યો પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા  પોલીસ ઇન્સ્પેકટર  એ.વી.પાણમીયાએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના આપતા કિશોરીની શોધ-ખોળ કરતા કીશોરી રેલ્વે સ્ટેશન પાસેથી મળી આવી હતી અને સમય સુચકતા વાપરી કિશોરીને નર્મદા નદીમાં કુદતા પહેલા બચાવી લેવામાં આવી હતી.કિશોરીને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેને ઘરમાં માતા-પિતા તેમજ ફોઈએ ઠપકો આપતા આત્મહત્યા કરવાનું વિચારી નર્મદા નદીમાં કુદી જવા માટે ગઈ હોવાની વિગતો જણાવી હતી જેથી  કિશોરીને તેના પરીવારના સભ્યોનો સર્પક કરી તેઓને સોંપવામાં આવી હતી.
Advertisment
Advertisment