ભરૂચ: જંબુસરમાં ST બસના કંડક્ટરે મુસાફરના રૂ.3 લાખના સોનાના દાગીના ભરેલ બેગ પરત કરી !

ભરૂચના જંબુસરમાં માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે.જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટર ગજેન્દ્રભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • કંડકટરનું સરાહનીય કાર્ય

  • મુસાફરની બેગ પરત કરી

  • બેગમાં રૂ.3 લાખનું હતું સોનુ

  • કંડકટરના કાર્યની સરાહના

ભરૂચના જંબુસર એસટી વિભાગમાં ફરજ બજાવતા કંડક્ટરે માનવતા મહેકાવી છે. મુસાફર બસમાં રૂ.3 લાખની કિંમતનું સોનું અને 10,000 રોકડ ભરેલી બેગ ભૂલી ગયો હતો જેને કંડક્ટરે પરત કરી કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભરૂચના જંબુસરમાં માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે.જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટર ગજેન્દ્રભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જંબુસર દેવલા રૂટની એસટી બસમાં મુસાફર નઈમભાઈ બાજીગર તેમનું રૂ. 3 લાખની કિંમતનું સોનું અને રૂ.10,000 રોકડ ભરેલી બેગ બસમાં જ ભૂલી ગયા હતા.આ બેગ કંડકટર ગજેન્દ્રભાઈને મળી હતી તેઓએ આ અંગે એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરી મુસાફરને શોધી કાઢ્યો હતો અને તેઓને કીમતી સોનુ તેમજ રોકડ ભરેલી બેગ પરત કરી હતી.આ બદલ બેગના માલિક નઇમ બાજીગરે એસ.ટી. વિભાગનો આભાર માન્યો હતો. કંડકટરની પ્રશંસનીય કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.