ભરૂચ: આમોદ ITIમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પરેશાન, ST બસની સુવિધા ન હોવાના આક્ષેપ

જંબુસર આમોદ અને વાગરા તાલુકાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ.માં અભ્યાસ અર્થે આવે છે પરંતુ બસની સુવિધા ન હોવાથી તેઓએ પાંચથી આઠ કિલોમીટર સુધી ચાલતા આવું પડે છે..

New Update

આમોદના કાંકરીયા નજીક આવેલી છે ITI

Advertisment

ITIના અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

એસ.ટી.બસની સુવિધા ન મળતી હોવાના આક્ષેપ

5 થી 8 કી.મી.ચાલતા મુસાફરી કરવી પડે છે

એસ.ટી.બસની સુવિધા આપવા માંગ 

ભરૂચના આમોદના કાંકરિયા નજીક આવેલ આઈટીઆઈમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ એસટી બસની સુવિધાના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે..
Advertisment

ભરૂચના આમોદના કાંકરિયા ગામ ખાતે એસ.ટી. બસની સુવિધા ન હોવાથી આઈ.ટી.આઈમાં અભ્યાસ અર્થે આવતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જંબુસર આમોદ અને વાગરા તાલુકાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ.માં અભ્યાસ અર્થે આવે છે પરંતુ બસની સુવિધા ન હોવાથી તેઓએ પાંચથી આઠ કિલોમીટર સુધી ચાલતા આવું પડે છે...

આઈટીઆઈમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે ત્યારે સમયસર બસની સુવિધા ન મળતા તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આકરી ગરમી કે વરસાદના વાતાવરણમાં પણ વિદ્યાર્થીઓએ પગપાળા આવવું પડે છે ત્યારે વહેલામાં વહેલી તકે બસની સુવિધા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે..

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : બોઈદ્રાની સીમમાં ચાલતી ખાવડા-નવસારી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને અસરગ્રસ્ત ખેડૂતોએ બંધ કરાવી.!

અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં, ખેડૂતોને જાણ કર્યા વિના પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવી રહ્યું છે.

New Update
  • બોઈદ્રાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી

  • બોઈદ્રા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ નોંધાવ્યો કામગીરીનો વિરોધ

  • વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને ખેડૂતોએ બંધ કરાવી

  • અગાઉ વાંધા અરજીઓ રજૂ કરી હોવા છતાં કામગીરી યથાવત

  • વરતળ ન મળે ત્યાં સુધી કામ કરવા દેવામાં આવશે નહીં : ખેડૂત

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરીને ખેડૂતોએ બંધ કરાવી વળતર ચૂકવવા માંગ કરી હતી.

કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી 765/440 KV વીજ ટ્રાન્સમિશન લાઈન કામગીરી વિવાદમાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઈન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામના ખેડૂતોએ પણ આ કામગીરીને બંધ કરાવી વળતર ચૂકવવા માંગ કરી છે. અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હોવા છતાંખેડૂતોને જાણ કર્યા વિના પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં ખેડૂતો આંદોલનની રણનીતિ ઘડવા સીમ વિસ્તારમાં એકઠા થયા હતાજ્યાં પાવરગ્રીડ કોર્પોરેશન વળતર ચૂકવ્યા વગર કામગીરી કરી રહ્યું હોવાનો અસરગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીંવળતર મળે નહીં ત્યાં સુધી કામગીરી અટકાવવાનો તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

Advertisment