ભરૂચ: આમોદ ITIમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પરેશાન, ST બસની સુવિધા ન હોવાના આક્ષેપ

જંબુસર આમોદ અને વાગરા તાલુકાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ.માં અભ્યાસ અર્થે આવે છે પરંતુ બસની સુવિધા ન હોવાથી તેઓએ પાંચથી આઠ કિલોમીટર સુધી ચાલતા આવું પડે છે..

New Update

આમોદના કાંકરીયા નજીક આવેલી છે ITI

Advertisment

ITIના અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

એસ.ટી.બસની સુવિધા ન મળતી હોવાના આક્ષેપ

5 થી 8 કી.મી.ચાલતા મુસાફરી કરવી પડે છે

એસ.ટી.બસની સુવિધા આપવા માંગ 

ભરૂચના આમોદના કાંકરિયા નજીક આવેલ આઈટીઆઈમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ એસટી બસની સુવિધાના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે..
Advertisment

ભરૂચના આમોદના કાંકરિયા ગામ ખાતે એસ.ટી. બસની સુવિધા ન હોવાથી આઈ.ટી.આઈમાં અભ્યાસ અર્થે આવતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જંબુસર આમોદ અને વાગરા તાલુકાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ.માં અભ્યાસ અર્થે આવે છે પરંતુ બસની સુવિધા ન હોવાથી તેઓએ પાંચથી આઠ કિલોમીટર સુધી ચાલતા આવું પડે છે...

આઈટીઆઈમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે ત્યારે સમયસર બસની સુવિધા ન મળતા તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આકરી ગરમી કે વરસાદના વાતાવરણમાં પણ વિદ્યાર્થીઓએ પગપાળા આવવું પડે છે ત્યારે વહેલામાં વહેલી તકે બસની સુવિધા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે..

Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment