ભરૂચ: મીની વાવાઝોડા અને માવઠાના કારણે 1750 હેકટરમાં ખેતીના ઉભા પાકને નુક્શાનીનો સર્વે, સરકાર દ્વારા સહાયની કરાશે જાહેરાત

ભરૂચ જિલ્લામાં કુલ 28,820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી 1750 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં વરસ્યો હતો કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન

  • 1750 હેકટરમાં ખેતીના પાકને નુકશાન

  • ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે પૂર્ણ કરાયો

  • કુલ વાવેતરમાં 33% ટકા નુકશાન હોવાનો અંદાજ

ભરૂચ જિલ્લામાં મીની વાવાઝોડા અને વરસાદના કારણે 1750 હેક્ટરમાં ખેતીના ઉભા પાકને નુકસાન થયું હોવાનું તંત્રના સર્વેમાં બહાર આવ્યું છે સર્વેની કામગીરી પૂર્ણ થતા રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે. હવે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવશે

ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ફુકાયેલી મીની વાવાઝોડા અને વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.સતત ત્રણ દિવસ સુધી માવઠું વરસતા ખેડૂતોએ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

ખેતીવાડી વિભાગની 55 ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં છ થી સાત દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લામાં કુલ 28,820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી 1750 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે.આમ 33% જમીનમાં ખેતીના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે.

સૌથી વધુ આંબા અને કેળના પાકને આ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપસિંહ વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સર્વેની કામગીરી પૂર્ણ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે.આગામી સમયમાં સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવશે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.