ભરૂચ: મીની વાવાઝોડા અને માવઠાના કારણે 1750 હેકટરમાં ખેતીના ઉભા પાકને નુક્શાનીનો સર્વે, સરકાર દ્વારા સહાયની કરાશે જાહેરાત

ભરૂચ જિલ્લામાં કુલ 28,820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી 1750 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં વરસ્યો હતો કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન

  • 1750 હેકટરમાં ખેતીના પાકને નુકશાન

  • ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે પૂર્ણ કરાયો

  • કુલ વાવેતરમાં 33% ટકા નુકશાન હોવાનો અંદાજ

ભરૂચ જિલ્લામાં મીની વાવાઝોડા અને વરસાદના કારણે 1750 હેક્ટરમાં ખેતીના ઉભા પાકને નુકસાન થયું હોવાનું તંત્રના સર્વેમાં બહાર આવ્યું છે સર્વેની કામગીરી પૂર્ણ થતા રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે. હવે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવશે

ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ફુકાયેલી મીની વાવાઝોડા અને વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.સતત ત્રણ દિવસ સુધી માવઠું વરસતા ખેડૂતોએ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

ખેતીવાડી વિભાગની 55 ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં છ થી સાત દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લામાં કુલ 28,820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી 1750 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે.આમ 33% જમીનમાં ખેતીના પાકને માવઠાના કારણે નુકસાન થયું છે.

સૌથી વધુ આંબા અને કેળના પાકને આ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપસિંહ વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સર્વેની કામગીરી પૂર્ણ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે.આગામી સમયમાં સરકાર દ્વારા સહાય અંગેની જાહેરાત કરવામાં આવશે.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.