ભરૂચ : HMPV વાયરસ સામે તંત્ર સજ્જ,જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાઓને કરાય એલર્ટ

વિશ્વમાં પુનઃ મહામારીના ભરડાની દહેશત વ્યક્ત કરાય રહી છે.ભારતમાં પણ HMPV વાયરસે પગપેસારો કરતા સરકાર સહિતનું તંત્ર એલર્ટ થઇ ગયું છે, તો

New Update
  • HMPV વાયરસથી દહેશત

  • બાળકોમાં ફેલાતા રોગથી ભય

  • જિલ્લા શિક્ષણ વિભાગ પણ બન્યું સાબદુ

  • પાણી પહેલા બાંધી પાળ

  • જિલ્લાની શાળાઓને કરાય એલર્ટ

Advertisment

વિશ્વમાં પુનઃ મહામારીના ભરડાની દહેશત વ્યક્ત કરાય રહી છે.ભારતમાં પણ HMPV વાયરસે પગપેસારો કરતા સરકાર સહિતનું તંત્ર એલર્ટ થઇ ગયું છે, તો બીજી તરફ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સતર્કતા દાખવીને પાણી પહેલા પાળ બાંધી છે.

ગુજરાત રાજ્યમાં HMPV વાયરસના લક્ષણો ધરાવતા બાળકોની સારવાર કરવામાં આવી છે,બીજી તરફ બાળકોમાં ફેલાતા આ રોગને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે.ભરૂચ જિલ્લામાં હાલમાં એક પણ HMPV વાયરસનો કેસ નોંધાયો નથી,પરંતુ આવનાર સમયમાં શૈક્ષણિક પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે પણ કમર કસી છે.જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શળાઓને આ અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે,અને વાયરસ સમયે લડવા માટેની તમામ તૈયારીઓ સાથે સજ્જ થઇ ગયા છે.તેમજ સરકાર દ્વારા જે પણ ગાઇડલાઇન આપવામાં આવશે એ મુજબ શાળાઓને એલર્ટ કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.

 

Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment