ભરૂચ: ઝઘડિયાના દધેડા ગામ નજીક ટેમ્પો પલટી જતા અકસ્માત, 15 મુસાફરો ઇજાગ્રસ્ત

ઝઘડિયાના દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટ્રેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેમ્પામાં સવાર કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા

New Update
accident
ભરૂચના ઝઘડિયાના દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટ્રેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેમ્પામાં સવાર કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને તુરંત સારવાર માટે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
Latest Stories