-
ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે કરાયું આયોજન
-
શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા 9મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
-
સમૂહ લગ્નોત્સવ 15 યુગલો નિકાહના બંધનમાં જોડાયા
-
લગ્નોત્સવમાં 15 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો
-
મોટી સંખ્યામાં સમાજના આગેવાન-આમંત્રિતોની ઉપસ્થિતિ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા 9મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 15 નવયુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઇ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો.
સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દૂર કરવાના આશય સાથે સાંપ્રત મોંધવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે તે માટે સમુહ લગ્નોત્સવના કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે જાનસીને શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કીછોછવીની ઉપસ્થિતિમાં 9માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 15 જોડાઓ નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા દુલ્હનોને પેટી પલંગ, કબાટ, રેફ્રિજરેટર જેવી ઘર વપરાશની 65 જેટલી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. એટલું જ નહીં, લગ્નોત્સવમાં ફ્રી ઉમરાહ પેકેજ માટે તમામ દુલ્હા-દુલ્હન માટે લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2 નંબરના યુગલનું નામ નીકળતા તેઓને મક્કા મદીના ઉમરાહ કરવા મોકલવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે જાનશીનએ શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કીછોછવીની, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલીના સભ્યો, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, સૈયદ પરવેઝ બાબા, પ્રિયાંક દેસાઈ, બચુભાઈ માસ્ટર, કનુ વસાવા તેમજ ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ-તરસાલી બ્રાંચના સભ્યો, આયોજનમાં મદદરૂપ થનાર સખી-દાતાઓ અને મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.