ભરૂચ: કેલોદ ગામ નજીક ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં, મોટી હોનારતની શક્યતા !

ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ જતા મોટી હોનારતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

New Update
  • ભરૂચના કેલોદ ગામ નજીક આવેલો છે બ્રિજ

  • ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં

  • બ્રિજની એક દીવાલ તૂટી પડી

  • નીચે જ આવેલું છે મેલડી માતાનું મંદિર

  • બ્રિજના તાત્કાલિક સમારકામની માંગ

ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ જતા મોટી હોનારતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રિજની નીચે જ  મેલડી માતાનું મંદિર પણ આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે ત્યારે તાજેતરમાં જ બ્રિજની દિવાલ ઘસી પડવાની પણ ઘટના બની હતી
ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો પૂલવાડી બ્રિજ જર્જરીત હાલતમાં થઈ ગયો છે. બ્રિજ નીચે મેલડી માતા અને ભૂત મામાનું મંદિર આવેલું છે જ્યાં રવિવાર અને મંગળવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે.તાજેતરમાં જ બ્રિજની એક દીવાલ ધસી પડતા દોડધામ મચી જવા પામી હતી જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.સ્થાનિકો અને મંદિરના મહંત વિજયભારતી ગોસ્વામીના જણાવ્યા મુજબ, બ્રિજ એટલો જર્જરીત છે કે પોપડા ખસી પડતાં કેટલાય ભક્તો ઈજાગ્રસ્ત થયા છે.
આ ઉપરાંત બ્રિજ ઉપરથી ટેમ્પા ટ્રક અને ટેન્કર જેવા ભારે વાહનો પણ પસાર થાય છે જેના કારણે ક્યારેક પણ બ્રિજ ધરાશાયી થઈ શકે છે એવો ભય વ્યાપી રહ્યો છે.ચોમાસાની સિઝનમાં ભૂખી ખાડીમાં પાણીનું પ્રમાણ વધી જાય છે અને વડોદરા તરફથી આવતા ભારે પ્રવાહને કારણે પીલરો નબળા બનવાનો ભય છે. લોકોએ વારંવાર રજૂઆતો છતાં હજુ સુધી સમારકામ કરવામાં નથી આવ્યું ત્યારે તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.