ભરૂચ : જુના તવરા ગામે સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પટોત્સવની ઉજવણી કરાય...

ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે ગોહિલ રાજપૂત પરિવાર દ્વારા સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • જુના તવરા ગામ ખાતે કરવામાં આવ્યું આયોજન

  • ગોહિલ રાજપૂત પરિવાર દ્વારા વિશેષ આયોજન

  • મંદિરના ચોથા પટોત્સવની ઉજવણી કરવામાં આવી

  • પૂજા તથા મહાપ્રસાદીનો ગ્રામજનોએ લાભ લીધો

  • મોટી સંખ્યામાં આગેવાનો-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે ગોહિલ રાજપૂત પરિવાર દ્વારા સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના સામાજીક અગ્રણી પ્રવિણસિંહ ગોહિલ દ્વારા સત્યનારાયણ ભગવાન તથા ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગત તા. 25 મે-2025 રવિવારના રોજ પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞશ્રીફળ હવન અને મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે પ્રવિણસિંહ બાપુઅલ્કેશસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી હવન પૂજા તથા મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

Read the Next Article

ભરૂચ: વાલિયામાં તા.25 થી 31 ઓક્ટોબર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચના વાલિયા ખાતે કરાયુ આયોજન

  • ઓક્ટોબર માસમાં યોજાશે ભાગવત સપ્તાહ

  • કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન

  • આયોજન સંદર્ભે બેઠક યોજાય

  • સપ્તાહ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે 

ભરૂચના વાલીયામાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના આયોજન સંદર્ભે શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે બેઠક મળી હતી
તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન સંદર્ભે ગ્રુપના જયદીપસિંહ ગોહિલ,નરપતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે મિટિંગ મળી હતી.જેમાં કાર્યક્રમના આયોજનને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ કથામાં જાણીતા કથાકાર રમેશ ઓઝા અમૃતનય વાણીમાં કથાનું રસપાન કરાવશે.જ્યારે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.