ભરૂચ: પાવન સલીલા માં નર્મદામા જવારાના વિસર્જન સાથે ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રતની પુર્ણાહુતી

ભરૂચ શહેર અને જિલ્લામાં જવારા વિસર્જન સાથે ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રતની પુર્ણાહુતી કરવામાં આવી હતી.5 દિવસ કુવારીઓએ ઉપવાસ રાખી ભક્તિભાવ પૂર્વક વ્રત કર્યું હતું

New Update
  • ગૌરીવ્રત જયાપાર્વતીવ્રતની પુર્ણાહુતી

  • 5 દિવસ કુંવારીકાઓએ રાખ્યા ઉપવાસ

  • ભોળાશંભુ-માતા પાર્વતીની કરવામાં આવી આરાધના

  • નર્મદા નદીમાં જવારાઓનું વિસર્જન કરાયુ

  • ગતરોજ કરાયુ હતું જાગરણ

ભરૂચ શહેર અને જિલ્લામાં જવારા વિસર્જન સાથે ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રતની પુર્ણાહુતી કરવામાં આવી હતી.5 દિવસ કુવારીઓએ ઉપવાસ રાખી ભક્તિભાવ પૂર્વક વ્રત કર્યું હતું

ભરૂચ જિલ્લામાં ગૌરીવ્રતની જવારા વિસર્જન સાથે પુર્ણાહુતિ થઇ હતી.મનગમતો ભરથાર મેળવવા માટે 5 દિવસના અલુણા વ્રત દરમિયાન ભોળાનાથ અને પાર્વતી માતાની કુવારીકાઓએ અરાધના કરી હતી. વ્રત દરમ્યાન શિવાલયોમાં કુંવારીકાઓની ભીડ જોવા મળી હતી. શનિવારની રાત્રિએ જાગરણ કર્યા બાદ રવિવારે સવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે જવારાઓનું નર્મદા નદી તથા અન્ય જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતુ.ભરૂચ શહેરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે ચાલતી નાવડીઓના સંચાલકો પરિવારજનો પાસેથી જવારા લઈને નાવડીમાં મૂકી વચ્ચે જઈને નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું.કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે આ અભિગમ દાખવવામાં આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.