ભરૂચ : પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર યુવતીની માસીને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારવાનો પ્રેમીએ કર્યો પ્રયાસ..!

પ્રેમિકાની માસીને પ્રેમીએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરતા ઇજાગ્રસ્ત માસીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો બીજી તરફ, પોલીસે આરોપી પ્રેમીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી

author-image
By Connect Gujarat Desk
New Update
  • ’ ડિવિઝન પોલીસ મથક વિસ્તારના BTM મિલ નજીકની ઘટના

  • પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર પ્રેમિકાની હત્યા કરવાનો પ્રયાસ

  • પ્રેમિકાની માસીને પ્રેમીએ ઝેર પીવડાવી મારી નાખવા પ્રયાસ કર્યો

  • ઇજાગ્રસ્ત માસીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી

  • પોલીસે ફરાર આરોપી પ્રેમીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી 

ભરૂચમાં પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર પ્રેમિકાની માસીને પ્રેમીએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરતા ઇજાગ્રસ્ત માસીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો બીજી તરફપોલીસે આરોપી પ્રેમીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારભરૂચના એ’ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સોનલ સોલંકીના બેનની દીકરીના પ્રેમમાં ફરહાન નામનો એક યુવાન પડ્યો હતો. જેની જાણ થતાં તેઓએ બહેનની દીકરીની બીજે સગાઈ કરાવી હતી. જેનાથી નારાજ થઈ ફરહાને બી.ટી.એમ. મિલ પાસેથી જ્યારે સોનલ સોલંકી એકલા પસાર થઈ રહ્યા હતાત્યારે એક મિત્ર સાથે ધસી આવી ફરહાને તેના મિત્રની મદદથી સોનલ સોલંકીને બળજબરીથી ઝેરી દવા પીવડાવી દઈ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.

જેના પગલે સોનલ સોલંકીને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ’ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે આરોપી ફરહાનને વહેલી તકે ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

ભરૂચ: આશ્રય સોસા.થી નિકળનાર રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા, તંત્ર સામે લોકોમાં રોષ

રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો

New Update
  • ભરૂચમાં આવતીકાલે નિકળશે રથયાત્રા

  • ભગવાન નિકળશે નગરચર્યાએ

  • રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા

  • પાણી ભરાવાની પણ સમસ્યા

ભરૂચમાં જગન્નાથ રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો હતો.
આવતીકાલે શહેરના આશ્રય સોસાયટી નજીક આવેલા જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. ભક્તિ અને શ્રદ્ધાભર્યુ આ પર્વ ઉજવવા માટે ભરૂચવાસીઓમાં ઉત્સાહની લહેર છે. જોકે યાત્રાના માર્ગની હાલત અત્યંત બિસમાર હોવાથી લોકમાત્રમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે માર્ગ પર અગાઉ બે વખત નવીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલત કોઇ જ સુધરી નથી. મોટા ખાડાઓ, નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા કારણે રસ્તો જર્જરિત થયો છે.સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે કટાક્ષ કરીને કહ્યું કે જેમને આવા પવિત્ર તહેવારોના માર્ગોની વ્યવસ્થા કરવા જાગૃત હોવું જોઈએ તેઓ નિંદ્રાધીન જણાય છે.