ભરૂચ : રોડના ખાડા, રખડતાં ઢોર અને ડમ્પીંગ સાઈટ મુદ્દે પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે કર્યો શાસક પક્ષનો ઘેરાવો...

ભરૂચ પાલિકાની સમાન્ય સભા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિપક્ષે રોડ પરના ખાડા, રખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટ મુદ્દે શાસક પક્ષને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી.

New Update

ભરૂચ નગરપાલિકાની સમાન્ય સભા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિપક્ષે રોડ પરના ખાડારખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટ મુદ્દે શાસક પક્ષને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી.

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં મળી હતી. જેના પ્રારંભ સાથે જ વિપક્ષ દ્વારા ભરૂચની પ્રજાને કનડતા અને હાલમાં સળગતા એવા 3 મુદ્દા રોડ પરના ખાડારખડતાં ઢોર તેમજ ડમ્પીંગ સાઈટના વિવાદના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલોથી વાતાવરણ ગરમાયું હતું. સમગ્ર મામલે પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ભરૂચ પ્રત્યેનો લગાવ દર્શાવી શાસક પક્ષના સભ્યોને ઘેર્યા હતા. વિપક્ષી સભ્યોએ શહેરના રોડ પર ટુંક જ સમયમાં ખાડા પડવા બાબતે કોન્ટ્રાક્ટરોને છાવરવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી હતી.

આ ઉપરાંત હાલમાં વિવાદિત ડમ્પિંગ સાઈટના મુદ્દે સાયખા ખાતે ફાળવવામાં આવેલ જમીન પર શા માટે કામગીરી નથી કરાઇ તેમ કહી હવેના આયોજન અંગે પ્રશ્નો કરતા શાસક પક્ષ દ્વારા હાલ આ મુદ્દે GPCBની મંજુરી અંતિમ તબક્કામાં હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો હતો. તો શહેર ના રોડ પર રખડતાં ઢોરોના મુદ્દે પાલિકાની કામગીરી માત્ર કોઈ બનાવ બને ત્યારે કરાતી હોવાનો આક્ષેપ કરતા પ્રમુખે વરસાદના કારણે ઢોરોને પકડવાનું બંધ હતુંજે હવે પુનઃ ચાલુ કરાશે તેવી ખાતરી આપતાં એજન્ડા પરની મુખ્ય ચર્ચા થઈ શકી હતી. વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ભવ્ય ભરૂચને ભાજપના શાસકોએ ભાંગી નાખ્યું હોવાનો આક્ષેપ કરી ભાજપના કારણે પ્રજાજનોને હાડમારી પડી રહી હોવાનું કહીં શાસકો બચાવની સ્થિતિમાં આવી ગયા હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યો  સાથે ભરૂચને સુંદર બનાવવા સૌને સાથે રાખવાનું પણ કહ્યું હતું. તો ડમ્પીંગ સાઈટનું હાલ હંગામી ધોરણે કામ ચાલી રહ્યું હોય જેથી આગામી દિવસોમાં આ પ્રશ્નનું પણ નિવારણ આવી જશે તેમ જણાવ્યુ હતું. પોણા 3 કલાકની મેરોથોન બની રહેલ ભરૂચ નગરપાલિકાની સમાન્ય સભામાં વિપક્ષના આક્રમણ સામે શાસક પક્ષની કોઈ તૈયારી ન હોવાનું લાગી રહ્યું હતું.

Read the Next Article

ભરૂચ: દહેજ બાયપાસ રોડ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધથી ટ્રાફિકજામની સમસ્યા હળવી બની

જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની

New Update
  • ભરૂચના દહેજ બાયપાય રોડનું તંત્રનું જાહેરનામું

  • ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

  • જાહેરનામાના કારણે ટ્રાફિકજામની સમસ્યા હળવી બની

  • બહારથી આવતા વાહનચાલકો પરેશાન

  • કલાકોના કલાકો હાઇવે પર જ વિતાવવા પડે છે

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધના તંત્રના જાહેરનામા બાદ ટ્રાફિકજામની સમસ્યા આંશિક હળવી બની છે જોકે બહારથી આવતા ભારદારી વાહનોના ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના દહેજ બાયપાસ રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેની અસર હવે માર્ગો પર દેખાઈ રહી છે. આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી અને મનુબર ચોકડી સહિતના મહત્વના વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ હળવી બની છે શ્રવણ ચોકડી નજીક બની રહેલ એલિવેટર બ્રિજની કામગીરીના કારણે ટ્રાફિકજામની સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં મોટા ભારદારી વાહનો સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમ્યાન પસાર થઈ શકતા નથી. 

જાહેરનામાના કારણે દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી જતા સેંકડો વાહન ચાલકોને રાહત સાંપડી છે તો બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને દહેજ તરફથી આવતા ભારદારી વાહનચાલકોની હાલત કફોડી બની છે તેઓએ કલાકોના કલાકો એન્ટ્રી માટે રાહ જોવી પડી રહી છે. અન્ય પ્રદેશમાંથી આવતા વાહન ચાલકોને આ જાહેરનામનો ખ્યાલ ન હોવાના કારણે તેઓ ભરૂચ સુધી તો આવી જાય છે પરંતુ દહેજ બાયપાસ રોડ પરનો એન્ટ્રીના કારણે તેઓએ હાઇવે પર જ 10 થી 12 કલાક વિતાવવા પડે છે.

#Traffic jam #Bharuch News #heavy vehicles #Dahej Bypass Road #Bharuch Traffic Jam
Latest Stories