ભરૂચ: હાંસોટથી કંટિયાળજાળને જોડતો માર્ગ વનખાડી ઓવરફ્લો થવાના કારણે બંધ, તંત્રએ જાહેરનામું બહાર પાડી ડાયવર્ઝન આપ્યુ

દંત્રાઇ ગામ પાસે આપવામાં આવેલ ડાયવર્ઝન વનખાડીના પાણીના કારણે ધોવાઈ જતા તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપી છે.

New Update
  • ભરૂચના હાંસોટમાં માર્ગ થયો બ્લોક

  • હાંસોટથી કંટિયાળજાળને જોડતો માર્ગ બંધ

  • વનખાડીનું પાણી થયું ઓવરફ્લો

  • તંત્ર દ્વારા બહાર પડાયુ જાહેરનામું

  • વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના

ભરૂચના હાંસોટથી કંટિયાળજાળ તરફ જતા માર્ગ પર દંત્રાઇ ગામ પાસે આપવામાં આવેલ ડાયવર્ઝન વનખાડીના પાણીના કારણે ધોવાઈ જતા તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપી છે.
ભરૂચના હાંસોટમાં ખાબકેલ અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી વનખાડીના પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો.
આ રસ્તો બ્લોક થઈ જવાના કારણે તંત્રએ જાહેરનામું બહાર પાડી વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપ્યું છે જેમાં હાંસોટથી કંટીયાળજાળ તરફ જતા વાહન ચાલકોએ અલવા,કાંટા સાયણ,બોલાવ ધમરાડ,વઘવાણ થઈ કંટીયાળજાળ તરફ જવાનું રહેશે જ્યારે તરફ હાંસોટ તરફ જતા વાહન ચાલકોએ વઘવાણ, ધમરાડ, બોલાવ,કાંટાસાયણ અને અલવા થઈ હાંસોટ તરફ જવાનું રહેશે.આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા  જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાળાની કામગીરીના પગલે બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ તે ધોવાઈ જતા હવે વાહન ચાલકોએ ફેરવો સહન કરવાનો વારો આવશે .
Read the Next Article

ભરૂચ : શ્રાવણ માસ નિમિત્તે જંબુસર એસટી ડેપો દ્વારા ભક્તો માટે કાવી-કંબોઈ-નારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત કરાય...

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે કાવી-કંબોઈ અને નારેશ્વર યાત્રાધામ સુધી બસ સેવાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે.

New Update
  • જંબુસર એસટી ડેપો દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો

  • શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે વિશેષ બસ સેવા શરૂ

  • કાવી-કંબોઈનારેશ્વર યાત્રાધામની બસ સેવા કાર્યાન્વિત

  • ભક્તોની લાગણી - સુવિધાને ધ્યાનમાં રાખી આયોજન

  • યાત્રાળુઓને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે કાવી-કંબોઈ અને નારેશ્વર યાત્રાધામ સુધી બસ સેવાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે. ભરૂચ જીલ્લામાં શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ભક્તોમાં પવિત્ર યાત્રાધામો માટે ઉત્સાહની લાગણી છવાઈ રહી છે. લાખો શ્રદ્ધાળુઓ વિવિધ યાત્રાધામોની મુલાકાત લેવા આતુર છેત્યારે ભક્તોની આ લાગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી જંબુસર એસટી ડેપો દ્વારા વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે.

જંબુસરથી કાવી-કંબોઈ તથા નારેશ્વર યાત્રાધામ સુધી એસટી બસો દોડાવવાની સંપૂર્ણ તૈયારીઓ સંપન્ન કરી દેવાઈ છે. જેના કારણે યાત્રાળુઓને હવે આરામદાયક અને વિઘ્નવિહોણી મુસાફરીનો અનુભવ મળશે. જંબુસર એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કેશ્રાવણ માસ દરમ્યાન ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન થાય તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

કાવી-કંબોઈ તથા નારેશ્વર બન્ને સ્થળોએ દર વર્ષે શ્રાવણ માસમાં હજારો ભક્તો ઉમટી પડે છે. તેથી પૂરતી સંખ્યામાં બસો મુકવામાં આવી છેઅને બસો નિયમિત અંતરે ઉપડશે. આ વ્યવસ્થાથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તોને લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે અને સરળતાથી યાત્રાધામોની મુલાકાત લઈ શકશેત્યારે જંબુસર એસટી ડેપો દ્વારા કરવામાં આવેલી આ સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.