ભરૂચ : ઝઘડીયાના વઢવાણા ગામે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું, ગ્રામજનોમાં ફફડાટ...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામ ખાતે ભારે વરસાદના કારણે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

New Update

ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામનો બનાવ

Advertisment

વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા

નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન

આખેઆખું મંદિર જળમગ્ન થતાં ગ્રામજનોમાં ફફડાટ

અન્ય સ્થળે મંદિરની સ્થાપના કરવામાં આવશે : મહંત

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામ ખાતે ભારે વરસાદના કારણે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 2 દિવસથી ધીમીધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફઝઘડીયા તાલુકાના વઢવાણા ગામ ખાતે હોનારત સર્જાય હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે વઢવાણા ગામ ખાતે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું હતું. નદી કાંઠે માટી ધસી પડતા સમગ્ર મંદિર ધરાશાયી થયું હતું. મંદિરના મહંત સિયાશરણ દાસ દ્વારા કેટલાક વર્ષોથી નર્મદા નદી કિનારે મંદિરની પાસે સંરક્ષણ દિવાલ બનાવવા માટે તંત્રમાં લેખીત રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સંરક્ષણ દિવાલ નહીં બનવાના અભાવે માટી ધોવાણ થતાં ગત રાત્રિના અરસામાં શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું હતું. બનાવની જાણ થતાં જ ગામના યુવાનો દ્વારા મંદિરના અવશેષોને પુનઃ મંદિર સ્થળે લાવી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિર મહંતના જણાવ્યા અનુસારઆ મંદિર આશરે 600 વર્ષ પુરાણું હોવાથી અતિ પૌરાણિક મંદિરની સ્થાપના બીજા કોઈ અન્ય સ્થળે કરવામાં આવશે.

Advertisment

 

Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment