ભરૂચ: ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાય, મોટી સંખ્યામાં લોકો જોડાયા

હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઇ રહી છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

New Update

ભરૂચમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી

ભાજપ તિરંગાયાત્રાનું યાત્રાનું આયોજન

માતરિયા તળાવ ખાતેથી તિરંગાયાત્રા નિકળી

મોટી સંખ્યામાં લોકો જોડાયા

રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા દ્રશ્યો

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઇ રહી છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રાનો પ્રારંભ શહેરના લિંક રોડ પર આવેલ માતરીયા તળાવ ખાતેથી કરવામાં આવ્યો હતો જે શક્તિનાથ થઇ સ્ટેચ્યુ પાર્ક સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ,જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આગેવાન દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા.
Latest Stories