ભરૂચ: NH 48 પર મૂલદ ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસુલાત બંધ કરાય, સેંકડો વાહનચાલકોને રાહત

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્થાનિક વાહનો માટે શરૂ કરાયેલ ટોલ વસુલાત ફરી બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને રાહત સાંપડી છે.

New Update
  • ભરૂચ નજીક NH 48 પર આવેલું છે ટોલ પ્લાઝા

  • મૂલદ ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનોને ટોલમાંથી હતી મુક્તિ

  • કેટલાક દિવસોથી ટોલ વસુલાતો હતો

  • આજથી ફરી ટોલ વસુલાત બંધ કરાય

  • સેંકડો વાહનચાલકોને રાહત 

Advertisment W3.CSS
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્થાનિક વાહનો માટે શરૂ કરાયેલ ટોલ વસુલાત ફરી બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને રાહત સાંપડી છે.
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝા આવેલું છે જ્યાં સ્થાનિક વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ થોડા દિવસોથી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે પણ ટોલની વસૂલાત કરવામાં આવી રહી હતી.આ અંગે સ્થાનિક વાહન ચાલકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ કલેકટરને પત્ર લખી સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલાત બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. તો બીજી તરફ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખ વસાવા દ્વારા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ફરીથી ટોલ વસૂલવાનું બંધ કરવામાં આવ્યું છે.આજથી ભરૂચ જિલ્લાના વાહન ચાલકોએ માંડવા ટોલ બુથ પર ટોલ ચૂકવવો નહીં પડે જેથી સ્થાનિક વાહનોને ઘણી રાહત સાંપડશે
Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.