ભરૂચ: તુલસીધામ શાકમાર્કેટમાં વેપારીને વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાકમાર્કેટમાં એક વેપારીને વીજ કરંટ લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું

New Update

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાકમાર્કેટમાં એક વેપારીને વીજ કરંટ લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગતા વેપારીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે.બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફર પઠાણ તુલસીધામ શાકમાર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે. ગતરોજ રાત્રીના સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે દુકાનનું શટર ઉંચુ કરતાં જ તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે આવી તપાસ કરતા વેપારીનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
Read the Next Article

ભરૂચ: હાંસોટના કતપોર ગામ નજીક દરિયાના પાણીમાં તણાયેલું કન્ટેનર આવ્યું, પોલીસ અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી

ભરૂચના હાંસોટના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને  આવતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસોટ પોલીસનો

New Update
MixCollage-27-Jul-2025-10-03-AM-438

ભરૂચના હાંસોટના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને  આવતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ભરૂચના હાંસોટ તાલુકાના કતપોર ગામ નજીક દરિયો અને વન ખાડીનો સંગમ થાય છે.આ ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલ મોટુ કન્ટેનર નજરે પડ્યું હતું જેના પગલે ગ્રામજનોમાં કુતુહલ ફેલાયું હતું આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારો દ્વારા તેને બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તરફ આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ મરીન પોલીસ તેમજ હાંસોટ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ કરતાં કન્ટેનરમાં બાળકોના બુટ ચપ્પલનો જથ્થો હોવાનો બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આ અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દરિયામાં મોટી ભરતી સમયે કોઈ સીપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જોકે આ કન્ટેનર કોનું છે અને કઈ રીતના દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે.