ભરૂચ: તુલસીધામ શાકમાર્કેટમાં વેપારીને વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાકમાર્કેટમાં એક વેપારીને વીજ કરંટ લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું

New Update

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાકમાર્કેટમાં એક વેપારીને વીજ કરંટ લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગતા વેપારીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે.બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફર પઠાણ તુલસીધામ શાકમાર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે. ગતરોજ રાત્રીના સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે દુકાનનું શટર ઉંચુ કરતાં જ તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે આવી તપાસ કરતા વેપારીનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
Read the Next Article

ભરૂચ : સેવાયજ્ઞ સમિતિમાં સેવા આપનાર સ્વયં સેવકનું આકસ્મિક સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...

ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર અરુણ દયાજીરામ મિશ્રામ અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

New Update
Volunteer

ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર એક વ્યક્તિનું આકસ્મિક સંજોગોમાં મોત નિપજતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસારભરૂચ સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે આવેલ સેવા યજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપતા એમ્બ્યુલન્સના ચાલક બાબુ અમરત જાધવ સાથે અરુણ દયાજીરામ મિશ્રામ સેવા યજ્ઞ સમિતિમાં બિનવારસી રહેતા એક વ્યક્તિનું મોત થતા તેઓનો મૃતદેહ લઈ દશાશ્વમેઘ ઘાટ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન સુથિયાપુરા રસ્તા પર પડેલ વાયર હટાવવા અરુણ દયાજીરામ મિશ્રામ નીચે ઉતર્યા હતા. તે સમયે અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાજ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. જોકેભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર વ્યક્તિનું આકસ્મિક સંજોગોમાં મોત નિપજતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.