ભરૂચ: મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર દહેગામ પાસે સર્જાયો ચક્કાજામ, વાહનોની લાગી લાંબી કતાર

ભરૂચ થી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર દહેગામ નજીક વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.અને ચક્કાજામમાં વાહનો ફસાઇ ગયા હતા.

New Update

ભરૂચ પાસેના એક્સપ્રેસ વે પર સર્જાયો ટ્રાફિકજામ

મુંબઈ દિલ્હી વે પર સૌ પ્રથમવાર સર્જાયો ટ્રાફિક 

ટોલ કલેક્શનમાં મંથરગતિની કામગીરીને પગલે ચક્કાજામ 

વાહનોની બે કિલોમીટર લાંબી લાગી લાઈન

દિવાળીમાં વાહનોનો ધસારો વધતા સર્જાયો ટ્રાફિક  

ભરૂચ થી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર દહેગામ નજીક વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.અને ચક્કાજામમાં વાહનો ફસાઇ ગયા હતા.
ભરૂચમાંથી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર સૌ પ્રથમ વાર ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી હતી.જેમાં દહેગામ નજીકના ટોલ નાકાથી લગભગ અંદાજીત બે કિલોમીટર સુધીની વાહનોની કતાર લાગી હતી.જેમાં સેંકડો વાહનો ચક્કાજામમાં ફસાયા હતા. જાણવા મળ્યા મુજબ દિવાળી પર્વની રજાઓમાં એક્સપ્રેસ વે પર વાહનોનું ભારણ વધવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.અને વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાવાનો વારો આવ્યો હતો.વાહન ચાલકોએ ટોલ બુથ પર વાહનોનું ભારણ વધતા અને ટોલ કલેક્શનમાં ધીમી ગતિને પરિણામે ટ્રાફિક સર્જાયો હોવાનું જણાવ્યું હતું.
દિવાળીની રજાઓની શરૂઆત થતાની સાથે જ લોકોએ પોતાના માદરે વતન તરફ વાટ પકડી છે,એકાએક ભરૂચ પાસેથી પસાર થતા મુંબઈ દિલ્હી હાઇવે પર વાહનોનું ભારણ વધ્યું હતું,અને દહેગામ પાસે ટોલ બુથ પર ચાલતી ટોલ કલેક્શનની કામગીરી મંથર ગતિએ થતી હોવાના કારણે બે કિલોમીટર લાંબો ચક્કાજામ સર્જાઈ ગયો હતો.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.