ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે હાર્દસમા શક્તિનાથ વિસ્તારમાં ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, વાહનચાલકો પરેશાન

ભરૂચના હાર્દ સમા શક્તિનાથ સર્કલ વિસ્તારમાં ટ્રાફિકજામની રોજિંદી સર્જાતી પરિસ્થિતિના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

New Update
  • ભરૂચમાં ટ્રાફિકજામની વિકટ સમસ્યા

  • વરસાદી માહોલ વચ્ચે વાહનચાલકોમો મરો

  • શક્તિનાથ વિસ્તારમાં થાય છે ટ્રાફિકજામ

  • વાહનચાલકોને પડે છે મુશ્કેલી

  • ટ્રાફિક નિયમનની કરવામાં આવી માંગ

ભરૂચના હાર્દ સમા શક્તિનાથ સર્કલ વિસ્તારમાં ટ્રાફિકજામની રોજિંદી સર્જાતી પરિસ્થિતિના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે દિન પ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે ત્યારે શહેરના હાર્દસમા શક્તિનાથ વિસ્તારમાં  ટ્રાફિકજામની રોજિંદી પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.બિસ્માર માર્ગ અને ટ્રાફિકનું કોઈ જ મેનેજમેન્ટ ન હોવાના કારણે શક્તિના સર્કલની ચારે તરફ વાહનોની લાંબી કતાર લાગે છે જેના કારણે વાહન ચાલકોએ કીમતી સમય વેડફવાનો વારો આવે છે.પિક અવર્સમાં તો ચક્કજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પોલીસ પોઇન્ટ હોવા છતાં પણ મોટાભાગના સમયે ટ્રાફિક બ્રિગેડના કોઈપણ પોલીસકર્મી હાજર ન રહેતા આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.