ભરૂચ: બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા ! ભાજપ-કોંગ્રેસના આગેવાનો જોડાયા

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતી નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં કરવામાં આવ્યા જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના નેતાઓ જોડાયા

author-image
By Connect Gujarat Desk
New Update
  • આજે તા.14મી એપ્રિલ

  • ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ

  • ભરૂચમાં યોજાયા કાર્યક્રમો

  • બાબા સાહેબને પુષ્પાંજલી અર્પણ કરાય

  • મોટી સંખ્યામાં કાર્યક્રમો જોડાયા

Advertisment
ભારતના બંધારણના ઘડવૈયા અને મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા

ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ જન્મ જયંતી નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચમાં ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા.
તો બીજી તરફ બામસેફ અને ઇન્સાફ સહિતના સંગઠનો દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.સામાજિક આગેવાનો અને કાર્યકરોએ પણ ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Advertisment
Read the Next Article

ભરૂચ: NTPC ઝનોર અને અંકલેશ્વરના CISF યુનિટ પર દુશ્મન દેશનો હુમલો થતા અનેક જવાન ઘાયલ, અંતે મોકડ્રિલ જાહેર કરાય

ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી

New Update
સી.આઈ.એસ.એફ યુનીટ અંકલેશ્વર  (4)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.  આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
Advertisment
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી. 
Advertisment