ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે તુલસી અને સિંદૂરના છોડનું વિતરણ કરાયું

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • ભરૂચ પાંજરાપોળ ખાતે ઉજવણી કરાય

  • તુલસી અને સિંદૂરના છોડનું વિતરણ કરાયુ

  • પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો

  • જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રહ્યા ઉપસ્થિત

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ, મહેન્દ્ર કંસારા, બીપીન ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનો દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે વૃક્ષારોપણ અને ઔષધીય વનસ્પતિના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લોકોમાં પર્યાવરણ પ્રત્યે સતર્કતા વધે અને ઘરોમાં પણ તુલસી તથા સિંદૂર જેવા છોડને સ્થાન મળે એ હેતુથી છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં શહેરના અનેક નાગરિકો અને પાંજરાપોળ સંસ્થાના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.