ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે તુલસી અને સિંદૂરના છોડનું વિતરણ કરાયું

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • ભરૂચ પાંજરાપોળ ખાતે ઉજવણી કરાય

  • તુલસી અને સિંદૂરના છોડનું વિતરણ કરાયુ

  • પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો

  • જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રહ્યા ઉપસ્થિત

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ, મહેન્દ્ર કંસારા, બીપીન ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહેમાનો દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે વૃક્ષારોપણ અને ઔષધીય વનસ્પતિના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લોકોમાં પર્યાવરણ પ્રત્યે સતર્કતા વધે અને ઘરોમાં પણ તુલસી તથા સિંદૂર જેવા છોડને સ્થાન મળે એ હેતુથી છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં શહેરના અનેક નાગરિકો અને પાંજરાપોળ સંસ્થાના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.