ભરૂચ: ઝનોર અને સિંધોત ગામેથી બે દીપડા પાંજરે પુરાયા, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો !

ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર વાલિયા નેત્રંગ અને ઝઘડિયા બાદ હવે શહેરી વિસ્તાર નજીક આવેલા ગામોમાં પણ દીપડાના આંટાફેરા વધ્યા છે.

New Update
aa

ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર વાલિયા નેત્રંગ અને ઝઘડિયા બાદ હવે શહેરી વિસ્તાર નજીક આવેલા ગામોમાં પણ દીપડાના આંટાફેરા વધ્યા છે.

ભરૂચ તાલુકાના ઝનોર અને સિંધોત ગામે દીપડો નજરે પડતાં ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.વન વિભાગ દ્વારા બંન્ને ગામમાં પાંજરા મુકવામાં આવ્યા હતા જેમાં બે દીપડા આબાદ કેદ થઈ ગયા હતા.આ અંગેની જાણ થતાની સાથે જ વન વિભાગનો કાફલો પહોંચ્યો હતો અને દીપડાને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. બન્ને ગામમાંથી દીપડા પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.