-
અબોલ જીવોની સેવાનો યજ્ઞ
-
સાર્થક ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયુ સારવાર કેન્દ્ર
-
સ્વૈચ્છીક સંસ્થાઓનો મળ્યો વનવિભાગને સહયોગ
-
સેવાકીય યુવાનો મેડિકલ કીટ સાથે સજ્જ
-
સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણીની કરાઈ અપીલ
ભરૂચ શહેર તેમજ જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં પતંગના ઘાતક દોરાથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેર જિલ્લામાં મકરસંક્રાંતિના દિવસે પતંગના ઘાતક દોરાના કારણે પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે.
ત્યારે જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરી તેનો જીવ બચાવી શકાય તે માટે 10 કંટ્રોલરૂમ,19 કલેકશન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે 12 સારવાર કેન્દ્ર 10 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વનવિભાગ દ્વારા કાર્યરત કરાયા હતા.
છેલ્લા પંદર વર્ષથી જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન દ્વારા ભરૂચના ચકલા વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે ઉતરાયણ નિમિતે સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું હતું.જેમાં સારવાર માટે કાર્યકરો દવા સાથે હાજર જોવા મળતા હતા.સાર્થક ફાઉન્ડેશનના હેતલ શાહે સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે અપીલ કરી હતી.