ભરૂચ:સંસદમાં રજૂ થયેલ યુનિયન બજેટને અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતિઓનો આવકાર, સાંભળો શુ કહ્યું

આજરોજ સંસદમાં રજૂ થયેલા દેશના સામાન્ય બજેટને ભરૂચ અને અંકલેશ્વરમાં સારો આવકાર સાંપડી રહ્યો છે આ બજેટને અર્થશાસ્ત્રીઓ રાહત આપનારું ગણાવી રહ્યા છે

New Update
  • સંસદમાં યુનિયન બજેટ રજૂ

  • નાંણા પ્રધાન નિર્મલા સિતારામણે બજેટ રજૂ કર્યું

  • ભરૂચ જિલ્લામાં બજેટને મળ્યો આવકાર

  • અર્થશાસ્ત્રીઓએ બજેટને આવકાર્યું

  • ઉદ્યોગપતિઓ બજેટને રાહત આપનારું ગણાવ્યું

આજરોજ સંસદમાં રજૂ થયેલા દેશના સામાન્ય બજેટને ભરૂચ અને અંકલેશ્વરમાં સારો આવકાર સાંપડી રહ્યો છે આ બજેટને અર્થશાસ્ત્રીઓ રાહત આપનારું ગણાવી રહ્યા છે
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આજરોજ સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને ભરૂચ જિલ્લામાં સારો પ્રતિસાદ સાંભળી રહ્યો છે. ઇકોનોમિસ્ટ અને ઉદ્યોગપતિઓ દ્વારા બજેટને આવકાર આપવામાં આવ્યો છે.નિર્મલા સીતારમણના બજેટમાં આવકવેરા ભરનારાઓને મોટી રાહત મળી છે. હવે નોકરી કરતા લોકો જો નવી કર વ્યવસ્થા પસંદ કરશે તો તેમણે ₹12.75 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.આ અંગે ભરૂચના સી.એ.સાગરમલ પારીકે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી મધ્યમવર્ગને મોટી રાહત સાંપડશે.આ ઉપરાંત કૃષિ અને સ્કિલ ડેવલપમેન્ટ અંગે પણ સારી જાહેરાત કરવામાં આવી છે જેનાથી ભારતનું અર્થતંત્ર વેગવાન બનશે
આ તરફ આ બજેટને અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ પણ આવકારી રહ્યા છે નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ઉદ્યોગો માટે MSME માટે લોન ગેરંટી મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે,સોશિયલ વેલ્ફેર સરચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ,7 ટેરિફ દરો દૂર કરવામાં આવશે. હવે દેશમાં ફક્ત 8 ટેરિફ દર જ રહેશે.,ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ટિયર-2 શહેરોમાં બનાવવામાં આવશે,દેશને રમકડાં ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે રાષ્ટ્રીય યોજના બનાવાશે અને નવી લેધર યોજના 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે સહિતની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઉદ્યોગપતિઓ બજેટને રાહત આપનારું ગણાવી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વાલ્મિકી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ

  • વૃદ્ધનું મકાન તોડી પાડી દીકરીને માર મરાયો

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી 
ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.