ભરૂચ: જંબુસર APMCની ચૂંટણીમાં પૂર્વમંત્રીના પુત્રનો વિજય, ભાજપે જાહેર કરેલ ઉમેદવારની હાર !

ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર એપીએમસીમાં ભાજપમાં જ બળવાની સ્થિતિનું નિર્માણ થયું છે. એપીએમસીમાં ચેરમેનપદ માટે અઢી વર્ષની ટર્મ પુરી થતાં શુક્રવારે ચૂંટણી યોજવામાં આવી હતી

author-image
By Connect Gujarat
New Update

ભરૂચની જંબુસર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના ચેરમેનપદની ચૂંટણીમાં ઇફકો વાળી થઇ છે. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહેલાં ઉમેદવારનો જ પરાજય થયો છે. 

ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર એપીએમસીમાં ભાજપમાં જ બળવાની સ્થિતિનું નિર્માણ થયું છે. APMCમાં ચેરમેનપદ માટે અઢી વર્ષની ટર્મ પુરી થતાં શુક્રવારે ચૂંટણી યોજવામાં આવી હતી. એપીએમસીમાં સત્તાધારી ભાજપ તરફથી આગામી ચેરમેને તરીકે ભુપેન્દ્રસિંહ રાઠોડના નામનું મેન્ડેડ આપવામાં આવ્યું હતું. પક્ષના સત્તાવાર ઉમેદવારની સામે વર્તમાન ચેરમેન અને પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના દીકરા વનરાજસિંહ મોરીએ ઉમેદવારી કરી સૌને ચોંકાવી દીધા હતાં.
ચૂૂંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર પરેશ કણકોટીયાની હાજરીમાં મતદાન કરાવવામાં આવતાં ભુપેન્દ્રસિંહ રાઠોડને 4 જયારે વનરાજસિંહ મોરીને 15 મત મળતાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. જંબુસર એપીએમસીમાં બનેલી ઘટનાથી તાજેતરમાં ઇફકોની ચૂંટણીમાં બનેલી ઘટના તાજી થઇ હતી.આ અંગે વનરાજસિંહ મોરીએ જણાવ્યું હતું કે અમે બધા ભાજપના જ છીએ ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારની હાર જેવું કઇ નથી. અમે બધા ભાજપના જ છીએ. બધા ડીરેકટરોએ મને મત આપી ફરી વખત ચેરમેન બનાવ્યો છે. અમારા એપીએમસીમાં ઇફકો જેવું થયું તેવું ન કહી શકાય. 
Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.