ભરૂચ: લુવારા ગામે ઓવરબ્રિજના નિર્માણ પૂર્વે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હલ કરવાની ગ્રામજનોની માંગ

ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા  કલેકટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • લુવારા ગામના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ઓવરબ્રિજના નિર્માણથી વિવાદ

  • વરસાદી પાણીનો નિકાલ ન થાય એવો આક્ષેપ

  • સમસ્યાના નિરાકરણની કરવામાં આવી માંગ 

ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા  કલેકટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી
ભરૂચના લુવારા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વગુસણા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુ બાજુ વર્ષો જુની જુદી જુદી કાંસો આવેલી હતી અને આ કાંસો ખુબ લંબાઇ તથા પહોળાઈ વાળી હતી અને આ જુદી જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુ બાજુ ખેતરોનું પાણી તથા આજુ બાજુના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખુબ સરળતાથી વહી જતું હતું.હાલમાં લુવારા તથા વગુસણા ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ને.હા.૪૮ પર એક ઓવર બ્રીજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરીટી દ્વારા લુવારા તથા વગુસણા ગામમાંથી પસાર થતી કાસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમાં પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.