ભરૂચ: લખીગામના ગ્રામજનોએ MLA અરૂણસિંહ રણાને સાથે રાખી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ગામના જી.આઇ.ડી.સી. સાથેના કેટલાક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે જેમાં ગૌચરની જમીન,પ્લોટ,લેન્ડ લુઝર્સ અને વળતરના પ્રશ્નોનો સમાવેશ થાય છે.આ તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરાય

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • વાગરાના લખીગામના ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું

  • ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ ગ્રામજનો સાથે જોડાયા

  • જીઆઇડીસી સાથેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ

  • લેન્ડ લુઝર્સ અને ગૌ ચરની જમીન સહિતના પ્રશ્નો

ભરૂચના વાગરા તાલુકાના લખી ગામના ગ્રામજનોએ ધારાસભ્ય અરુણસિંહ રણા સાથે વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચના લખી ગામના ગ્રામજનો દ્વારા આજરોજ વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી..
જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પણ જોડાયા હતા અને ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેકટરને રજૂઆત કરી હતી.ગામના જી.આઇ.ડી.સી. સાથેના કેટલાક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે જેમાં ગૌચરની જમીન,પ્લોટ,લેન્ડ લુઝર્સ અને વળતરના પ્રશ્નોનો સમાવેશ થાય છે.આ તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરાય છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.