ભરૂચ: લખીગામના ગ્રામજનોએ MLA અરૂણસિંહ રણાને સાથે રાખી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ગામના જી.આઇ.ડી.સી. સાથેના કેટલાક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે જેમાં ગૌચરની જમીન,પ્લોટ,લેન્ડ લુઝર્સ અને વળતરના પ્રશ્નોનો સમાવેશ થાય છે.આ તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરાય

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • વાગરાના લખીગામના ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું

  • ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ ગ્રામજનો સાથે જોડાયા

  • જીઆઇડીસી સાથેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ

  • લેન્ડ લુઝર્સ અને ગૌ ચરની જમીન સહિતના પ્રશ્નો

ભરૂચના વાગરા તાલુકાના લખી ગામના ગ્રામજનોએ ધારાસભ્ય અરુણસિંહ રણા સાથે વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચના લખી ગામના ગ્રામજનો દ્વારા આજરોજ વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી..
જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પણ જોડાયા હતા અને ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેકટરને રજૂઆત કરી હતી.ગામના જી.આઇ.ડી.સી. સાથેના કેટલાક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે જેમાં ગૌચરની જમીન,પ્લોટ,લેન્ડ લુઝર્સ અને વળતરના પ્રશ્નોનો સમાવેશ થાય છે.આ તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરાય છે.
Read the Next Article

ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું

અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

New Update
bharuch
ભરૂચ જિલ્લામાં આવેલ નદી, તળાવ, નહેર, દરીયા વગેરે જેવા જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં જિલ્લામાં આવેલા કુલ 67 ભયજનક સ્થળો પર પ્રવાસીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Jahernamu

જાહેરનામામાંથી માછીમારી સાથે સંકળાયેલ લોકો તેમજ સરકારી ફરજ પર રોકાયેલ કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ:-

Pratibandh