ભરૂચ: ઝાડેશ્વરની 3 ટીપી સ્કીમમાં મળેલી બીજી ઓનર્સ મીટમાં પણ ગ્રામજનોનો વિરોધ,પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની રચનાના 13 વર્ષ બાદ આજે ઝાડેશ્વરની 18 સી  સ્કીમના સૂચિત મુસદા માટે મળેલી બીજી ઓનર્સ મીટીંગમાં પણ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો

New Update
  • ભરૂચના ઝાડેશ્વરની 3 ટીપી સ્કીમમાં ઓનર્સ મિટિંગ મળી

  • બૌડાએ જમીન માલિકોના વાંધા, સૂચનો મેળવી નકશાઓ રજુ કર્યા

  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સામે 40 ટકા કપાતને લઈ વિરોધ

  • છ જેટલી માંગો સ્વિકારાય તો ટાઉન પ્લાનિંગ સ્કીમ આવકાર્યનો ગ્રામજનોનો સુર

  • વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચ - અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની રચનાના 13 વર્ષ બાદ આજે ઝાડેશ્વરની 18 સી  સ્કીમના સૂચિત મુસદા માટે મળેલી બીજી ઓનર્સ મીટીંગમાં પણ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલાપમેન્ટ ઓથોરિટીટી.બૌડા દ્વારા ટાઉન પ્લાનિંગમાં અગાઉ ઝાડેશ્વરની 18 એ અને બી બે સ્કીમની ઓનર્સ મિટિંગ દોઢ વર્ષ પહેલા યોજાઇ હતી. ત્યારબાદ આજે 18 સી ની ઓનસ મિટિંગ ઝાડેશ્વર પાટીદાર પંચની વાડીમાં મળી.ઝાડેશ્વર ની 3 ટી પી સ્કીમ આવવાથી લોકોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા સાથે પોહળા રસ્તા, ડ્રેનેજ, પીવાનું પાણી, બગીચા, શાળા, હોસ્પિટલો મળશે.
બૌડાના મુખ્ય કારોબારી અધિકારી  કે બીજા કોઈ મુખ્ય અધિકારીઓની ગેરહાજરીમાં જ ઓનસ મિટિંગ યોજાઇ. જેમાં વિરોધ વંટોળ ઉઠતા પોલીસ બંદોબસ્ત ખડકાતા મામલો થાળે પડ્યો. જોકે 40 ટકા કપાતને લઈ ખેડૂતો અને જમીન માલિકોમાં આંતરિક કચવાટ જોવા મળ્યો. ગ્રામજનો અને ખેડૂતોમાં ટીપી સ્કીમને લઈ ભાગલા જોવા મળ્યા. છ માંગણીઓ સંતોષાય તો ટીપી સ્કીમ આવકાર્યનો સુર ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.