ભરૂચ: પર્યાવરણ સંરક્ષણ માટે મુંબઈથી 1200 કિમીની પદયાત્રાએ નીકળેલા સાહસિક વિરાગ મધુમાલતીનું સ્વાગત કરાયું

મુંબઈથી પર્યાવરણના સંરક્ષણ માટે 1200 કિમીની પદયાત્રા કરનાર સાહસિક યુવાન વિરાગ ભરૂચ આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

New Update

પર્યાવરણ સંરક્ષણ માટે સાહસિક યુવાનની પદયાત્રા
મુંબઈ થી શરુ કરી 1200 કિમી ની પદયાત્રા
મુંબઈથી નકોડા સુધીની કરશે પદયાત્રા
પદયાત્રી ભરૂચ આવી પહોંચતા કરાયું સ્વાગત
વિરાગ 14 વર્ષથી પર્યાવરણ સંરક્ષણ માટે છે કાર્યરત

Advertisment

મુંબઈથી પર્યાવરણના સંરક્ષણ માટે 1200 કિમીની પદયાત્રા કરનાર સાહસિક યુવાન વિરાગ ભરૂચ આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ સંરક્ષણ માટે મુંબઈથી 1200 કિમીની પદયાત્રાએ નીકળેલા વિરાગ મધુમાલતી ભરૂચ આવી પહોંચતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તથા સાયકલિસ્ટ અને મેરેથોન રનર કનિષ્ક વાઘેલા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિરાગ મધુમાલતી અને તેમની ટીમે 15 સપ્ટેમ્બર, 2024ના રોજ નવી મુંબઈથી નાકોડાજી સુધીની 1200 કિમીની પગપાળા યાત્રા શરૂ કરી છે.લગભગ 480 કિમીનું અંતર કાપ્યા પછી આ ગ્રુપ 21મી ઓક્ટોબર 2024ના રોજ ભરૂચ આવી પહોંચતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તથા સાયકલીસ્ટ અને મેરેથોન રનર કનિષ્ક વાઘેલા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વિરાગ તેની ગ્રીન વોકેથોન દરમિયાન,ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરવા,પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે.અને તેઓ વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ પણ કરી રહ્યા છે અને લોકોને છોડની સંભાળ રાખવા માટે પ્રેરિત કરી રહ્યા છે.સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ, આશ્રમ શાળા, તપોવન શાળા, સરસ્વતી શાળા, આરએમપીએસ શાળા વગેરેની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.વિરાગ મધુમાલતી છેલ્લા 14 વર્ષથી પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરે છે.વધુમાં વિરાગ એક પ્રખ્યાત સંગીતકાર પણ છે,અને પાંચ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, મુંબઈથી નાકોડાજી સુધીની તેમની 1200 કિમીની મુસાફરીનો ઉદ્દેશ્ય 100,000 વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે પર્યાવરણ સંરક્ષણ વિશે જનજાગૃતિ વધારવાનો છે.

Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.