ભરૂચ : પાલિકા ખાતે વોર્ડ નંબર 9 રહીશોનું જર્જરિત નાળા અંગે હલ્લાબોલ.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થતાં સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.

New Update

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થતાં સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.

Advertisment W3.CSS

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદ પૂરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાળાની હાલત જર્જરિત થવા સાથે સફાઈ પણ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરીએ હલ્લા બોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ પર બી ડિવિઝન પોલીસ મથક પાસે આવેલ નાળુ જર્જરિત હોવા સાથે નાનું પણ છે.

તેમજ સફાઈ પણ થતી ન હોવાથી લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવા જેવી સમસ્યા થઈ રહી છે.જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહિ કરવાંમાં આવતા અંતે આ મુદ્દે રહીશો એ પાલિકા કચેરી ખાતે હલ્લા બોલ કર્યું હતું. ત્યાં ઉપસ્થિત વિપક્ષી નેતા સમશાદ અલી સૈયદ,દંડક હેમેન્દ્ર  પ્રજાપતિ સહિત ના વિપક્ષી સભ્યોને પણ સાથે લઈ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.