ભરૂચ: ચોમાસાના શરૂઆત સાથે જ દુર્ઘટનાઓની ભરમાર, ઠેર ઠેર વીજ પોલ- વૃક્ષ ધરાશાયી

ભરૂચ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટ પંથકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

New Update
  • ભરૂચ જિલ્લામાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ

  • ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો

  • વૃક્ષ- વીજપોલ ધરાશાયી થવાની અનેક ઘટના

  • ભરૂચમાં રેલવેના કેબલ પર વૃક્ષ પડતા આગ

  • અંકલેશ્વરમાં ચાલુ વરસાદે વીજપોલ ધરાશાયી

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ વૃક્ષ અને વીજપોલ  ધરાશયી થવાની તેમજ શોર્ટ સર્કિટની કુલ 5થી વધુ ઘટનાઓ બની હતી. ભરૂચ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટ પંથકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના પગલે ઠેર ઠેર વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાય થવાની અને શોર્ટ સર્કિટની ઘટનાઓ બની હતી.
સૌ પ્રથમ વાત કરીએ તો શહેરના લિંક રોડ પર જય નારાયણ સોસાયટી પાસે કાર પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું જોકે સદનસીબે આ બનાવવામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ ભરૂચના જ લીમડીચોક નજીક વૃક્ષ ધરાશયી થતા વીજળી ડુલ થઈ ગઈ હતી. જેમાં રીક્ષા સહિત 3 વાહનો દબાઈ ગયા હતા.આ તરફ શહેરના જંબુસર બાયપાસ રોડ પર રેલવે કેબલ પર વૃક્ષ ધરાશઇ થતા શોર્ટ સર્કિટની ઘટનાના પગલે આગ લાગી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
આ તરફ અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વર જીઆઇડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરનો પોલ ધરાશાઇ થઈ જતા આગ ફાટી નીકળી હતી. વરસતા વરસાદ વચ્ચે જ આ દુર્ઘટના બની હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.અંકલેશ્વર શહેરની વાત કરવામાં આવે તો અંકલેશ્વરના ચૌટા નાકા નજીક વિશાળકાય વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું.આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.