ભરૂચ : વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોડાયા,730 હેકટરથી વધુ પિયત કપાસનું કરાયું વાવતેર

ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.

New Update
  • ચોમાસાની શરૂઆતથી ખેડૂતોમાં ખુશી

  • પિયત કપાસનું વાવેતર કરાયું શરૂ

  • 730 હેક્ટરમાં કપાસનું વાવેતર

  • હાંસોટમાં 150 હેક્ટરમાં કરાયું વાવેતર

  • કપાસ અને તુવેર સહિતના પાકની વાવણી   

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ ખરીફ વાવેતરની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 730 હેક્ટરથી વધુ વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી ચોમાસુ વાવેતરની શરૂઆત થાય છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સૌ પ્રથમ કપાસનું વાવેતર કરે છે. ગત વર્ષે જૂનના બે સપ્તાહમાં 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.જોકે બે સપ્તાહ મળીને 730 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાવેતર હાંસોટ તાલુકામાં 150 હેક્ટર વિસ્તારમાં થયું છે. વાગરા અને વાલિયા તાલુકામાં હજુ વાવેતરની શરૂઆત થઈ નથી. જૂન મહિનાના અંત સુધીમાં 5 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબવરસાદને કારણે ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. કપાસ અને તુવેર જેવા પાકની વાવણી ચાલુ છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પ્રથમ વાવેતર નિષ્ફળ ગયું હતું. આ વર્ષે સારો વરસાદ અને યોગ્ય વરાપ મળે તો સારા પાકની આશા છે. આખી સિઝનમાં 30 ઇંચ જેટલો વરસાદ પડે તો સારો પાક થઈ શકે છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.