ભરૂચ: મકાનની છત ધરાશાયી થતા ન.પા.ના યુવા કાઉન્સીલર વિશાલ વસાવાનું કરુણ મોત,પત્નીને ઇજા

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6ના ભાજપના યુવા કાઉન્સિલર વિશાલ વસાવાના મકાનની છત ધરાશાયી કાટમાળ નીચે દબાઈ જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું

New Update
  • ભરૂચની પાયોનિયર હાઈસ્કૂલ નજીક બની ઘટના

  • કાઉન્સિલરના મકાનની છત ધરાશાયી

  • કાઉન્સિલર વિશાલ વસાવાનું મોત નિપજ્યું

  • પત્નીને પહોંચી ગંભીર ઇજા

  • કાટમાળ નીચે દબાઈ જતા બની દુર્ઘટના

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6ના ભાજપના યુવા કાઉન્સિલર વિશાલ વસાવાના મકાનની છત ધરાશાયી કાટમાળ નીચે દબાઈ જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેમના પત્નીને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જુના ભરૂચ વિસ્તારમાં આવેલી પાયોનીયર હાઈસ્કૂલ નજીક ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 6ના ભાજપના યુવા કાઉન્સિલર વિશાલ વસાવાનું મકાન આવેલું છે. ગતરાત્રીના વિશાલ વસાવા અને તેમના પત્ની મકાનમાં નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે અચાનક જ મકાનની છત ધરાશયી થઈ ગઈ હતી.ધડાકાભેર છત ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચેથી વિશાલ તેમજ તેમના પત્નીને બહાર કાઢ્યા હતા.બન્નેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે કાઉન્સિલર વિશાલ વસાવાનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું જ્યારે તેમના પત્ની હાલ સારવાર હેઠળ છે. આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. કાઉન્સિલર વિકાસ વિશાલ વસાવાનું આકસ્મિક રીતે મોત થતા ભાજપમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.બનાવની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
Read the Next Article

ભરૂચ: વાલિયાના સોડગામની સીમમાં દીપડો નજરે પડ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ

વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે.....

New Update
Sodgam
ભરૂચના વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરા કરતો વિડીયો વાયરલ થતા ખેડૂતોમાં ભયનો માહોલ ભરૂચના વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે.આ દીપડો ધર્મેન્દ્રસિંહ ચંદુભાઈ પ્રજાપતિના ખેતરમાં આંટા ફેરા કરતો વિડીયો આજરોજ સામે આવ્યો છે.ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડાને પકડવામાં આવે તે જરૂરી છે.