ભરૂચ: કેબલ બ્રિજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલની ચોરી કરનાર યુવાન ઝડપાયો, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કેબક બ્રિજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલ અને કારતુસની ચોરી કરનાર યુવાનની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ભરૂચ નજીક હાઇવે પર થઈ હતી પીસ્તોલની ચોરી

કેબલ બ્રિજ નજીક કારમાંથી પિસ્તોલની ચોરી

એસ.ઓ.જી.એ આરોપીની કરી ધરપકડ

માંડવાની સાંઇ વાટીકા સોસા.માંથી આરોપી ઝડપાયો

પિસ્તોલ અને 6 કારતુસ કબ્જે કરાયા

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કેબક બ્રિજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલ અને કારતુસની ચોરી કરનાર યુવાનની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

દેવગઢબારીયા ખાતે રહેતા નીલ સોની રવિવારના રોજ ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કેબલ બ્રિજના ટોલનાકા પાસે તેઓએ તેમની કાર ઉભી રાખી કોઈ કામ અર્થે ગયા હતા આ સમયે તેમની કારના  ડેસબોર્ડ પર સ્વ રક્ષણ માટે  મુકેલ લાયસન્સ વાળી પિસ્તોલ અને કારતુસની અજાણ્યો ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે તેઓએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ માટે ફરિયાદ નોંધાવી હતી. આ બાદ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની  ટીમે તપાસ હાથ ધરતા તેઓને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે માંડવા ગામ નજીક આવેલ સાંઈવાટિકા સોસાયટીમાં દરોડા પાડતા  મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી પ્રિન્સ રાય નામના યુવાનના મકાનમાંથી પિસ્તોલ અને છ નંગ કારતુસ મળી આવ્યા હતા.આથી પોલીસે યુવાન સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ફરિયાદી સરદાર બીજના ટોલનાકા પાસે ગાડી પાર્ક કરી કામ અર્થે ગયા હોય કારનો કારનો દરવાજો ખુલ્લો જ હતો તે દરમિયાન નજર ચૂકવી યુવાને ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.આ મામલાની વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.