ભરૂચ : આમોદના ભીમપુરા નજીકથી પસાર થતી કેનાલમાં સર્જાયું ભંગાણ, ખેડૂતોએ કર્યો સમારકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ...

ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલનું યોગ્ય રીતે સમારકામ નહીં થાય તો શિયાળુ પાકમાં ભારે નુકશાન વેઠવાનો વારો આવશે. એટલું જ નહીં,  ખેતરો પણ પાણી પાણી થઈ જશે

New Update
  • આમોદના ભીમપુરા ગામ નજીકથી પસાર થતી કેનાલ

  • નર્મદા નહેર નીગમની કેનાલમાં મસમોટું ભંગાણ સર્જાયુ

  • કેનાલનું તકલાદી સમારકામ કરવામાં આવ્યું છે : ખેડૂત

  • ઉભા પાકમાં નુકશાનની ભીતિ સાથે ખેડૂતો ચિંતાતુર બન્યા

  • વહેલી તકે કેનાલનું યોગ્ય સમારકામ થાય તેવી માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નહેર નીગમની કેનાલમાં મસમોટું ભંગાણ સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં ઠેર ઠેર તોતિંગ ગાબડાંઓ પડ્યા છે. અંદાજિત 2 મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાકટર દ્વારા જ્યાં ગાબડાં પડ્યા છેતે જગ્યા પર તકલાદી સમારકામ કરવામાં આવ્યું હોવાની લોકચર્ચા જાગી છે.

લોકોના આક્ષેપ મુજબ કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કેખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલનું યોગ્ય રીતે સમારકામ નહીં થાય તો શિયાળુ પાકમાં ભારે નુકશાન વેઠવાનો વારો આવશે. એટલું જ નહીં,  ખેતરો પણ પાણી પાણી થઈ જશે જેથી ઉભો પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: આમોદની સમાચોકડી નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતા અકસ્માત, બાઈક સવાર મહિલાને ગંભીર ઇજા

આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી

New Update
amod accident
ભરૂચના દહેજથી જંબુસર તાલુકાના થણાવા ગામે જતો પરિવાર ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો, જયા આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા. ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પાછળ બેઠેલ મહિલા ભીખીબહેન ગોહિલના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.