ભરૂચ : આમોદના ભીમપુરા નજીકથી પસાર થતી કેનાલમાં સર્જાયું ભંગાણ, ખેડૂતોએ કર્યો સમારકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ...

ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલનું યોગ્ય રીતે સમારકામ નહીં થાય તો શિયાળુ પાકમાં ભારે નુકશાન વેઠવાનો વારો આવશે. એટલું જ નહીં,  ખેતરો પણ પાણી પાણી થઈ જશે

New Update
  • આમોદના ભીમપુરા ગામ નજીકથી પસાર થતી કેનાલ

  • નર્મદા નહેર નીગમની કેનાલમાં મસમોટું ભંગાણ સર્જાયુ

  • કેનાલનું તકલાદી સમારકામ કરવામાં આવ્યું છે : ખેડૂત

  • ઉભા પાકમાં નુકશાનની ભીતિ સાથે ખેડૂતો ચિંતાતુર બન્યા

  • વહેલી તકે કેનાલનું યોગ્ય સમારકામ થાય તેવી માંગ ઉઠી 

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નહેર નીગમની કેનાલમાં મસમોટું ભંગાણ સર્જાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં ઠેર ઠેર તોતિંગ ગાબડાંઓ પડ્યા છે. અંદાજિત 2 મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાકટર દ્વારા જ્યાં ગાબડાં પડ્યા છેતે જગ્યા પર તકલાદી સમારકામ કરવામાં આવ્યું હોવાની લોકચર્ચા જાગી છે.

લોકોના આક્ષેપ મુજબ કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચાર સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કેખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલનું યોગ્ય રીતે સમારકામ નહીં થાય તો શિયાળુ પાકમાં ભારે નુકશાન વેઠવાનો વારો આવશે. એટલું જ નહીં,  ખેતરો પણ પાણી પાણી થઈ જશે જેથી ઉભો પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

New Update
mines department
ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.
વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.