ભરૂચ : આખરે’ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને તાળા મારવામાં આવ્યા, લોકોની સુરક્ષા-સલામતી માટે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો

લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બન્ને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

New Update
  • લોકોની સુરક્ષા - સલામતી માટે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો

  • આખરે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને તાળા મારવામાં આવ્યા

  • પોલીસની નજર ચુકવી લોકો બ્રિજમાં કરતાં હતા પ્રવેશ

  • ગોલ્ડન બ્રિજને બન્ને છેડે લોખંડના મોટા ગેટ વડે બંધ કરાયો

  • વહીવટી તંત્ર દ્વારા બ્રિજને કાયમ માટે બંધ કરવામાં આવ્યો

ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બન્ને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આવરદા પુરી થતાં ભરૂચ કલેકટર દ્વારા ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ પબ્લિકની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ સાંજના સમયે કેટલાક લોકો ગોલ્ડન બ્રિજની સહેલગાએ આવી તંત્રના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. ગોલ્ડન બ્રિજમાં ફરવા તેમજ મોબાઈલમાં સેલ્ફી ક્લિક કરવા આવતા લોકોને જોતા પોલીસ દ્વારા વારંવાર રોકવામાં આવતા હતા.

તેમ છતાં પણ પોલીસની નજર ચુકવી ગોલ્ડન બ્રિજમાં કેટલાક લોકો બિનધિકૃત રીતે પ્રવેશ કરતાં હતાત્યારે હવે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેમજ લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આખરે ગોલ્ડન બ્રિજને તાળા મારવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બન્ને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.