ભરૂચ : આખરે’ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને તાળા મારવામાં આવ્યા, લોકોની સુરક્ષા-સલામતી માટે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો

લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બન્ને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

New Update
  • લોકોની સુરક્ષા - સલામતી માટે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો

  • આખરે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને તાળા મારવામાં આવ્યા

  • પોલીસની નજર ચુકવી લોકો બ્રિજમાં કરતાં હતા પ્રવેશ

  • ગોલ્ડન બ્રિજને બન્ને છેડે લોખંડના મોટા ગેટ વડે બંધ કરાયો

  • વહીવટી તંત્ર દ્વારા બ્રિજને કાયમ માટે બંધ કરવામાં આવ્યો

Advertisment

 ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બન્ને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની આવરદા પુરી થતાં ભરૂચ કલેકટર દ્વારા ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ પબ્લિકની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં પણ સાંજના સમયે કેટલાક લોકો ગોલ્ડન બ્રિજની સહેલગાએ આવી તંત્રના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. ગોલ્ડન બ્રિજમાં ફરવા તેમજ મોબાઈલમાં સેલ્ફી ક્લિક કરવા આવતા લોકોને જોતા પોલીસ દ્વારા વારંવાર રોકવામાં આવતા હતા.

તેમ છતાં પણ પોલીસની નજર ચુકવી ગોલ્ડન બ્રિજમાં કેટલાક લોકો બિનધિકૃત રીતે પ્રવેશ કરતાં હતાત્યારે હવે આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેમજ લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આખરે ગોલ્ડન બ્રિજને તાળા મારવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બન્ને છેડે લોખંડના ગેટ બનાવડાવી બ્રિજને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!

DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....

New Update
  • ગુજરાતમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી

  • સ્માર્ટ મીટર સામે વિરોધના વંટોળ વચ્ચે વધુ એક ઘટના

  • રૂ. 6.29 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

  • DGVCL કચેરીએ રજૂઆત કરતાં વીજ ગ્રાહકને કડવો અનુભવ

  • બિલ સિસ્ટમ દ્વારા બન્યું છેઅમારી કોઈ ભૂલ નથી : કર્મચારી 

Advertisment

ગુજરાત રાજ્યમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વધુ વીજબિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 મળતી માહિતી અનુસારઅંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકેગતરોજ રાત્રીના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.

મકાન માલિકે જણાવ્યુ હતું કેઆટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કેઆ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છેઅમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કેસિસ્ટમ કામ કરે છે કેમાનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે.

Advertisment