રક્તદાન એ જ મહાદાન : ભરૂચના રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ તેમજ JCI દ્વારા રક્તદાન શિબિર યોજાય…

રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરનું આયોજન

  • જાયન્ટ્સ ગ્રુપ તેમજJCI દ્વારા રક્તદાન શિબિર યોજાય

  • રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખે પણ કર્યું રક્તદાન

  • પ્રમુખ રશ્મિકાંત કંસારાએ 117મી વખત રક્તદાન કર્યું

  • રક્તદાન શિબિર મોટી સંખ્યામાં રક્તદાતાઓની હાજરી

  • રક્તદાન એ જ મહાદાન ઉક્તિને સાર્થક કરી બતાવાય

ભરૂચ શહેરના સેવાશ્રમ હોસ્પિટલ પરિસર સ્થિત રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટજાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારાએ 117મી વખત રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે સામાજિક સંસ્થાના આગેવાન મુણાલ કાપડિયાત્રાપ્તિ રાઠોડ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહીરક્તદાન એ જ મહાદાન” ઉક્તિને સાર્થક કરી હતી.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.