New Update
અંકલેશ્વરના જુના દિવા ગામનો બનાવ
ભાથીજી મંદિરમાં તસ્કરો ત્રાટકયા
સેવા ભવનમાં ચોરીનો બનાવ
રૂ.80 હજારના પિત્તળના વાસણોની ચોરી
એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય
અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરના પરિસરમાં આવેલા સેવા ભવનમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ સેવા ભવનમાં મુકવામાં આવેલા આશરે રૂ. 80 હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે.મંદિર ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ સિરવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ સંદિગ્ધ લોકોની પૂછપરછ અને અન્ય તકનિકી તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
Latest Stories