દહેજ રોડ પર બસ પલટી, કંપનીના કર્મચારીઓએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યો

ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી

New Update

ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચના દહેજ રોડ પર ગતરોજ ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. દહેજમાં આવેલી એસઆરએફ કંપનીના કર્મચારીઓને ભરૂચથી લઈને જતી ખાનગી લક્ઝરી પર અટાલી ગામ નજીક એકાએક પલટી મારી ગઈ હતી. બસના ચાલકે અચાનક જ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના પગલે બસ પલટી ગઈ હતી. બસમાં સવાર કર્મચારીઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો દોડી આવ્યા હતા.
બસ એક તરફ નમી ગઈ હોય કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કુદયા હતા.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.આ માર્ગ પર મોટા મોટા ખાડા પડ્યા છે ત્યારે બિસ્માર માર્ગના કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તંત્ર વહેલીતકે માર્ગનું સમારકામ કરાવે એટલે અત્યંત જરૂરી છે
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.