દહેજ રોડ પર બસ પલટી, કંપનીના કર્મચારીઓએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યો

ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી

New Update

ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચના દહેજ રોડ પર ગતરોજ ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. દહેજમાં આવેલી એસઆરએફ કંપનીના કર્મચારીઓને ભરૂચથી લઈને જતી ખાનગી લક્ઝરી પર અટાલી ગામ નજીક એકાએક પલટી મારી ગઈ હતી. બસના ચાલકે અચાનક જ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના પગલે બસ પલટી ગઈ હતી. બસમાં સવાર કર્મચારીઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો દોડી આવ્યા હતા.
બસ એક તરફ નમી ગઈ હોય કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કુદયા હતા.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.આ માર્ગ પર મોટા મોટા ખાડા પડ્યા છે ત્યારે બિસ્માર માર્ગના કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તંત્ર વહેલીતકે માર્ગનું સમારકામ કરાવે એટલે અત્યંત જરૂરી છે
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.