ભરૂચ: સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલ નિરાધાર દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા દર્દીઓને બિરલા ગ્રાસિમ કંપનીની મહિલા કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી

New Update

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા દર્દીઓને બિરલા ગ્રાસિમ કંપનીની મહિલા કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી

ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બિરલા ગ્રાસિમ કંપનીના મહિલા કર્મચારીઓ દ્વારા અનોખી રીતે રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. મહિલા કર્મચારીઓ દ્વારા ભરૂચ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. સેવા યજ્ઞ સમિતિ દ્વારા નિરાધાર દર્દીઓની સેવા કરવામાં આવે છે ત્યારે ઘણા દર્દીઓ અહીં રહે છે તેઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.