અંકલેશ્વર: કેમિકલ કંપનીમાં ભીષણ આગના પગલે અફરાતફરીનો માહોલ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેસ્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી  નીકળતા દોડધામ મચી જવા પામી હતી

New Update

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેસ્ટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી  નીકળતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવો બને છે ત્યારે આજે ફરી એકવાર  આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કેમાતુર ચોકડી નજીકની કેમેસ્ટ લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા જોકે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી અન્ય એક કંપનીને પણ આગની ચપેટમાં લીધી હતી.જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. લગભગ 15 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી.
Latest Stories