કોરોના'એ ફરી માથું ઊંચક્યું : અમદાવાદમાં પોઝિટિવ કેસ આવ્યા બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું...

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના સંક્રમણએ માથું ઊંચક્યું છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા બાદ હવે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરવા સાથે તબીબી તંત્ર કામે લાગી ગયું છે.

New Update
  • ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણએ માથું ઊંચક્યું

  • અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા

  • કોરોનાને પહોંચી વળવા ભરૂચ સિવિલ હોસ્પિટલ સજ્જ

  • આઇશોલેશન કોવિડ વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરાય

  • નિષ્ણાંત તબીબો સહિત પેરા મેડિકલ સ્ટાફ રહેશે તૈનાત

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના સંક્રમણએ માથું ઊંચક્યું છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા બાદ હવે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરવા સાથે તબીબી તંત્ર કામે લાગી ગયું છે.
દેશમાં ઘણા સમયના અંતરાલ બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. તેવામાં અમદાવાદમાં ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓ નોંધાય રહ્યા છે. જોકે, વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે આરોગ્ય વિભાગ પણ સાબદું બન્યું છે. હાલની સ્થિતિએ સાવચેતી એ જ સલામતી ખૂબ અગત્યની છે, ત્યારે ભરૂચમાં ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ખાતે તકેદારીના ભાગરૂપે 5 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 100 બેડ ધરાવતો આઇશોલેશન કોવિડ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ઓક્સિજન પ્લાન્ટમાં કોઈ ક્ષતિ કે, ખામી સર્જાય ત્યારે કોઈપણ દર્દીને તકલીફ ન પડે તે માટે 109 જંબો સિલિન્ડર બેકઅપ માટે રાખવામાં આવ્યા છે.
વધુમાં 120 જેટલા વેન્ટિલેટર મશીન, બાયપેપ મશીનરી તેમજ મેડિસિન સુધીની તમામ તૈયારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે કરી દેવામાં આવી છે. આ સાથે જ રાઉન્ડ ધ ક્લોક નિષ્ણાંત તબીબો, તજજ્ઞો તેમજ પેરા મેડિકલ સ્ટાફ ફરજ પર સતત હાજર રહેશે તેવું આયોજન ઘડવામાં આવ્યું છે. આમ, ભરૂચ સિવિલ હોસ્પિટલ સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવા સક્ષમ બન્યું છે.
Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.